Latest

Thursday, May 16, 2019

ફટાફટ વજન ઉતારવું હોય તો પીઓ શેરડીનો રસ, થોડા જ દિવસમાં રિઝલ્ટ મળશે

શેરડીનો રસઃ

ઉનાળામાં પીણાની વાત કરીએ તો શેરડીના રસનું નામ સૌથી પહેલા લેવું પડે. તેનાથી સંતોષ પણ થાય છે અને તરસ પણ છીપાય છે. આ પાછળનું કારણ એ છે કે શેરડીમાં રહેલી નેચરલ શુગર એનર્જી બૂસ્ટ કરે છે અને તમારામાં ઉનાળાની ગરમીને કારણે પેસી ગયેલી આળસને દૂર ભગાડે છે. જો તમે વિચારતા હોવ કે શેરડીના રસનો એકમાત્ર આ ફાયદો છે તો તમે ભૂલો છો. તે વજન ઘટાડવામાં અને પાચનતંત્ર મજબૂત બનાવવામાં અગત્યનો ફાળો આપે છે. જાણો રોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી તમારુ વજન કેવી રીતે ઉતરવા માંડશે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

પોષક તત્વોઃ

તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ એક ગ્લાસ (300 એમ.એલ) શેરડીના રસમાં 111 કેલરી હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે.

ક્યારે પીવો જોઈએ?

ફિટનેસ એક્સપર્ટનું માનીએ તો શેરડીનો રસ પીવાનો સાચો સમય કસરત કર્યા પછીનો અથવા તો તડકામાંથી આવ્યા બાદ પાંચ મિનિટ પછીનો છે. શેરડીનો રસ શરીરમાંથી જે નમક ઓછું થઈ ગયું હોય છે તેને લેવલ પર લાવે છે. જે લોકો ફ્લેવર ઉમેરવા માંગતા હોય તે ચપટી સિંધવલૂણ કે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી શકે છે.

કેવી રીતે ઉતારે વજન?

શેરડીના રસમાં કુદરતી શુગર હોય છે. તે તમારા આખા દિવસની શુગરની જરૂરિયાતને પૂરી કરી આપે છે. આથી શરીરનું ગ્લુકોઝ લેવલ જળવાઈ રહે છે. નેચરલ શુગરમાં કોઈ કેલરી નથી હોતી જેને કારણે ફટાફટ વજન ઉતરે છે.

ઝીરો ફેટઃ

તમને જાણીને નવાઈ લાગશે પણ શેરડીના રસમાં ઝીરો પેટ હોય છે. ફ્રેશ રસમાં ભરપૂર પ્રમાણમાં નેચરલ શુગર અને ઝીરો ફેટ હોય છે. આથી ઉનાળામાં શેરડીનો રસ પીશો તો એક્સ્ટ્રા ઈંચ ઘટવા માંડશે.

ફાઈબરઃ

શેરડીના રસમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવા માટે ખૂબ જરૂરી છે. આ કારણે ઉનાળામાં રોજ એક ગ્લાસ શેરડીનો રસ અવશ્ય પીવો જોઈએ.

પાચન તંત્ર મજબૂત બનાવેઃ

મેટાબોલિઝમ સારુ હોય તો શરીરમાં વધુ ઉર્જા આવે છે. વધુ ઉર્જા હોય તો કેલરી પણ વધારે બળે છે. વજન ઘટાડવા માટે વધુને વધુ કેલેરી બાળવી જરૂરી છે. આથી શેરડીનો રસ તમને કેલરી બાળવામાં મદદ કરીને વજન ઘટાડી આપે છે.

પાચન માટે સારોઃ

શેરડીના રસમાં રહેલા ફાઈબરને કારણે પાચન સુધરે છે. આ કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા માંડે છે.

વજન ઉતારવા માટે ફાયદાકારકઃ

ઉનાળાનું આ લોકપ્રિય પીણુ માત્ર તરસ છીપાવવા માટે જ નહિ, વજન ઉતારવા માટે પણ અકસીર છે. આથી ઉનાળામાં રોજ એક ગ્લાસ શેરડીનો રસ અવશ્ય પીવો જોઈએ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HnmTdG

No comments:

Post a Comment

Pages