જમવા બેસો ત્યારે સાથે જોઈએ જ છે પંજાબી અથાણું

તમે જ્યારે કોઈ હોટેલ, રેસ્ટોરાં અથવા તો પછી ભોજનાલયમાં જાઓ ત્યારે અચૂક પંજાબી અથાણું તમને ત્યાં જોવા મળશે જ. જમવાનું કંઈ પણ હોય પરંતુ જ્યાં સુધી સાથે પંજાબી અથાણું ના મળે તો જમવાની મજા જાણે અધૂરી રહી ગઈ હોય તેવો અનુભવ થાય છે. તમે જ્યારે કોઈ પ્રસંગમાં જાઓ ત્યારે પણ ત્યાં તમને પંજાબી અથાણું તો જોવા મળે જ છે. આજકાલ લોકો ઘરે પણ પંજાબી અથાણું સાથે જમવામાં હોય તેવો આગ્રહ રાખતા હોય છે. હવે બહારથી તૈયાર પંજાબી અથાણું લાવવાની જરૂર નથી, આ રીતે ઘરે જ બનાવો ચટાકેદાર પંજાબી અથાણું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પંજાબી અથાણું બનાવવા માટેની જરૂરી સામગ્રી

– એક કિલોગ્રામ દેશી કેરી
– 100 ગ્રામ લીલાં મરચાં
– 125 ગ્રામ ગાજર
– 125 ગ્રામ આદુ
– હળદર
– 700 ગ્રામ લીંબુ
– 200 ગ્રામ રાઈની દાળ
– 50 ગ્રામ મેથીનો લોટ
– લાલ મરચું
– અડધી ચમચી હિંગ
– અડધી ચમચી સોડિયમ બેંઝોઈટ
– મીઠું પ્રમાણસર
જાણો પંજાબી અથાણું બનાવવા માટેની સરળ રીત

– સૌપ્રથમ કેરીના નાના ટુકડા કરવા, ત્યારબાદ મરચાંની, ગાજરની અને આદુની ઊભી ચીરી કરવી. હવે ગોળ આકારમાં હળદરને સમારવી, ત્યારબાદ 4 લીંબુના કટકા કરવા.
– હવે મેથી અને રાઈના દાળનો લોટ કરવો, ત્યારબાદ આ મેથી અને રાઈના લોટને એક તપેલીમાં ભરવો. જેટલો લોટ હોય તેટલું જ શેકેલું મીઠું અને તેટલું જ લાલ મરચું નાખવું. હવે હિંગ નાખવી, ત્યારબાદ લીંબુ અને સોડિયમ બેંઝોઈટ સિવાય બધું ભેગું કરીને દબાવી દેવું.
– ત્યારબાદ તેમાં 4 લીંબુનો રસ નીચોવવો. હવે એક દિવસ પછી પોણો ચમચી સોડિયમ બેંઝોઈટ નાખી બરાબર મેળવીને તે બરણીમાં ભરી લેવું. (સોડિયમ બેંઝોઈટના લીધે આ પંજાબી અથાણું મહિના સુધી તાજું રહે છે.)
from Page Array – I Am Gujarat http://bit.ly/2vAu1fZ
No comments:
Post a Comment