Latest

Monday, May 6, 2019

શ્રીનાથજી ફરવા જાવ ત્યારે આટલું મિસ ન કરતા, અફસોસ થશે

અદભૂત જગ્યાઃ

અનુરાધા ગોયલઃ જ્યારે પણ હું ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકીને ઊભેલા શ્રીનાથજીનું ચિત્ર પિછવાઈ પર જોઉં, મને નાથદ્વારા જવાનું મન થઈ જાય છે. આ એ જ જગ્યા છે જ્યાં શ્રીનાથજીના સુંદર ચિત્રો બનાવાય છે. શ્રીનાથજીના ચિત્રો બનાવવાની શરૂઆત જ અહીંથી થઈ હતી. નાથદ્વારા જગ્યા જ એવી અદભૂત છે કે ત્યાં પહોંચીને કલાકારને કંઈક બનાવવાની પ્રેરણા મળે. રાજસ્થાન જ નહિ, ગુજરાતમાંથી પણ અનેક લોકો છાશવારે શ્રીનાથજી દર્શન કરવા જાય છે. એવામાં જાણો શ્રીનાથજીમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉપરાંત બીજું શું શું ખાસ છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

સવારની ચાઃ

શ્રીનાથજી લગભગ બધી જ બસો વહેલી સવારે પહોંચાડે છે. જો તમે પણ વહેલી સવારે નાથદ્વારા પહોંચ્યા હોવ તો ત્યાંનો નાસ્તો બિલકુલ મિસ કરવા જેવો નથી. શ્રીનાથજીના માર્કેટમાં જ તાજા મસાલા અને ફૂદીના વાળી સરસ ચા મળે છે જે પીતા સાથે જ તમારી બધી ઊંઘ અને થાક ઊતરી જશે અને તમે સ્ફૂર્તિથી તરવરવા માંડશો. નાથદ્વારા તેની ફુદીના ચા માટે વખણાય છે. અહીં કપ કે કુલ્લડમાં ચા આપવામાં આવે છે અને તેમાં તમને એકદમ ફ્રેશ ફુદીનાનો સ્વાદ આવશે.
સાથે જ બટેટા પૌંઆ અને ભજિયા સહિત ગરમાગરમ નાસ્તો પણ જલસો કરાવી દે તેવી હોય છે.

ઠાકોરજીની હવેલીઃ

શ્રીનાથજીનું મુખ્ય મંદિર ઠાકોરજીની હવેલી તરીકે ઓળખાય છે. આ મંદિર આખો દિવસ નથી ખુલ્લુ રહેતું, તેનો સમય સીઝન પ્રમાણે બદલાય છે. આખા દિવસ દરમિયાન આઠ દર્શન થાય છે. હું બપોરે 11 વાગ્યે પહોંચી ત્યારે રાજભોગના દર્શનની તૈયારી હતી. આ સમયે શ્રીનાથજીને ભોગ ધરાવવામાં આવે છે. બજારની સાંકડી ગલીઓમાં થઈને શ્રીનાથજીના મંદિર સુધી પહોંચવામાં આવે છે. મંદિરની સફેદ દીવાલો પર પણ ખૂબ સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે.

ફોન-કેમેરા જમા કરાવી દેવા પડે છેઃ

મંદિરમાં ફોન, બેગ, કેમેરા વગેરે લઈ જવાની મનાઈ છે એટલે અમે તે બહારની એક દુકાનમાં જમા કરાવી દીધા. પહેલા તો મને અફસોસ થયો કારણ કે મારે ઘણા ફોટોઝ પાડવા હતા પરંતુ એકવાર હું મંદિરમાં પ્રવેશી તો મને ઘણી શાંતિ લાગી કારણ કે કેમેરા મને ડિસ્ટ્રેક્ટ નહતો કરી રહ્યો. હું ત્યાં ભીડનો ભાગ બની ગઈ. અમે પહેલા નાના મંદિરે ગયા જ્યાં શ્રીનાથજીની શ્યામ પ્રતિમા છે અને તેને સિલ્ક તથા સોનાથી શણગારવામાં આવે છે. તમને ધક્કામૂકીમાં શ્રીનાથજીની ઝલક મેળવવા થોડી જ ક્ષણો મળશે. આ પ્રતિમા વ્રજ ભૂમિથી આવી છે. અહીં બનાસ નદીના કિનારે તેમણે ફરીથી વ્રજ ભૂમિ જેવો માહોલ ઊભો કર્યો છે. જે રથમાં આ પ્રતિમા લાવવામાં આવી તે મંદિરના પરિસરમાં છે.

આ રીતે ચમકતુ રહે છે મંદિરઃ

દર્શન પછી મને એક જગ્યાએ સ્ત્રીઓ ભજન ગાતી હોય તેવો અવાજ સંભળાવ્યો. અમે રસોડા તરફ ગયા તો ત્યાં શાકભાજીના ઢગલા પડ્યા હતા. મંદિરના રસોડામાં હંમેશા સીઝન પ્રમાણે રસોઈ બને છે. ગાઈડને લઈને અમે આખા મંદિરના જુદા જુદા રૂમ જોયા. દૂધ, મીઠાઈ, પાન, ફૂલ, ઘરેણા, બેઠક બધું જ રાખવા માટે જુદા જુદા રૂમ છે. ગાઈડ કરશો તો તમને પુષ્ટિ માર્ગ અંગે પણ ઘણું જાણવા મળશે. દર દિવાળી પહેલા મંદિરની દીવાલો પર ફ્રેશ પેઈન્ટ થાય છે અને ફરી નવા ચિત્રો દોરાય છે. આ કારણે ટ્રેડિશનલ ચિત્રકારોને રોજગારી પણ મળે છે અને મંદિર હંમેશા ચમકતુ રહે છે.

માર્કેટમાં શું જોવા જેવું છે?

ગાઈડ લેશો તો મંદિરમાં જ તમારો એક કલાક નીકળી જશે. મંદિરની બહાર જ માર્કેટ આલેવું છે. તમે જ્યાં નજર નાંખશો ત્યાં તમને શ્રીનાથજીની છબિ જોવા મળશે. તમને ત્યાં સ્ટેમ્પ સાઈઝથી માંડીને આખી દીવાલ ભરાઈ જાય તેટલા મોટા કદમાં શ્રીનાથજીની છબિઓ જોવા મળશે જેના પર જડતર, હીરા વગેરે કારીગરીથી સુંદર કામ કરવામાં આવ્યું છે.

પ્રસાદ પણ મળે છેઃ

મંદિરમાં જે ભોગ ભગવાનને ચડાવાય છે તે પાછળથી પ્રસાદરૂપે ભક્તોમાં વહેંચી દેવાય છે. આ પ્રસાદ પડિયામાં વહેંચાય છે જેને દોના કહેવાય છે. તેમાં તમને જાત જાતના મિષ્ટાન અને ફળ ખાવા મળશે. દિવસમાં જેટલા દર્શન હોય તેટલા પ્રસાદ બને છે. આ પ્રસાદ પછી પડિયામાં ભક્તોને અપાય છે.

નજીકમાં જોવા જેવી જગ્યાઓઃ

શ્રીનાથજીના દર્શન કરી લો, માર્કેટમાં ફરી લો પછી પણ સમય મળે તો શ્રીનાથજીની નજીક જ હલ્દી ઘાટી, એકલિંગજી, બુંદી અને અંબાજી જેવા ફરવાના અને દર્શન કરવાના સ્થળો આવેલા છે. શ્રીનાથજીની આસપાસ હવે લક્ઝુરિયસ રિસોર્ટ પણ બન્યા છે જ્યાં તમે દર્શન પછી રિલેક્સ કરી શકો છો અને સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માળી શકો છો.

આ પણ વાંચોઃ શ્રીનાથજીથી માત્ર 16 કિ.મી દૂર આવેલી છે આ સુંદર જગ્યા, મિસ કરશો તો અફસોસ થશે



from Page Array – I Am Gujarat http://bit.ly/2POvfhd

No comments:

Post a Comment

Pages