મઉ/ચંદૌલીઃ અમિત શાહ કોલકાતા ગયા પછી રાજ્યમાં રાજકીય માહોલે ભયાનક સ્વરુપ ધારણ કરી લીધું, અમિતશાહના રોડશોના કારણે ભાજપ અને ટીએમસી વચ્ચે જબરજસ્ત રાજકીય ઘર્ષણ શરુ થયું. આ ઘર્ષણ બાદ નાની-મોટી હિંસક ઘટનાઓ બની હતી જેના કારણે ચૂંટણીપંચે પ્રચારનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો હવે અમિત શાહ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં જઈ રહ્યા છે આ પહેલા તેમણે યુપીમાં કરેલી રેલીમાં પશ્ચિમ બંગાળની દીદીની સરકાર પર કટાક્ષ કર્યો છે.
નોંધનીય છે કે, અમિત શાહ કોલકાતા ગયા તે પહેલા તેમણે મમતા બેનર્જીને પડકાર ફેંક્યો હતો આજ રીતે વડાપ્રધાન મોદીએ પણ ત્યાં જતા પહેલા પડકાર ફેંક્યો છે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમ્યાન થયેલી હિંસક ઘટનાઓને લઇ પીએમ મોદીએ રાજ્યના સીએમ મમતા બેનર્જીને સીધો પડકાર ફેંકયો છે. યુપીના મઉ અને ચંદૌલીમાં ગુરૂવારના રોજ રેલીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આજે ફરી એકવખત પશ્ચિમ બંગાળમાં મારી રેલી છે. અમે જોઇએ છે કે દીદી ત્યાં મારી રેલી થવા દે છે કે નહીં. આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ અમિત શાહના રોડ શો દરમ્યાન હિંસા થઇ હતી. આ દરમ્યાન સમાજ સુધારક ઇશ્વર ચંદ્રવિદ્યાસાગરની મૂર્તિ તૂટતા ટીએમસી અને ભાજપના કાર્યકર એક-બીજા પર આરોપ મૂકી રહ્યાં છે.
कुछ महीने पहले पश्चिमी मेदिनीपुर में मेरी रैली में TMC ने अराजकता फैलाई गई थी।
इसके बाद ठाकुरनगर में तो ये हालत कर दी गई थी कि मुझे अपना संबोधन बीच में छोड़कर मंच से हटना पड़ा था।
आज दमदम में मेरी रैली है, देखते हैं दीदी ये रैली होने देती हैं या नहीं: पीएम मोदी #ApnaModiaayega pic.twitter.com/meZpU6CSQq
— BJP (@BJP4India) May 16, 2019
પીએમ મોદીએ કહ્યું કે થોડાંક મહિના પહેલાં જ પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં ટીએમસી એ અરાજકતા ફેલાવી હતી. ત્યારબાદ ઠાકુરનગરમાં તો એવી સ્થિતિ ઉભી થઇ હતી કે મને મારું સંબોધન અધવચ્ચે છોડી મંચ પરથી હટવું પડ્યું હતું. આજે દમદમમાં રેલી છે. જોઇએ છે દીદી આ રેલી થવા દે છે કે નહીં.
એટલું જ નહીં પીએમ મોદીએ સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના આરોપ ટીએમસી પર લગાવ્યા. તેમણે કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધા. આવું કરનારાઓને કઠોર સજા થવી જોઇએ.
પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાસાગર જીના વિઝન માટે સમર્પિત અમારી સરકાર, એ જગ્યા પર પંચધાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે. આની પહેલાં ભાજપના ચીફ અમિત શાહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રસે અત્યાર સુધી અમારી 70 રૈલીઓ પર પ્રતિબંધ લગાવાનું કામ કર્યું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Q5PnLI
No comments:
Post a Comment