Latest

Sunday, May 12, 2019

અમે બાળકોના સારા ભવિષ્ય માટે પોતાનું શરીર પણ વેચ્યું, પરંતુ હવે….

બે ટકની રોટલી માટે આવું પણ કર્યું

નિયતિ પરિખ, અમદાવાદઃ સરકારે 1963માં અમને જમીન આપી હતી પરંતુ એવી જગ્યાએ જ્યાં દૂર દૂર સુધી પાણી નહોતું કે નહોતી સિંચાઈની કોઈ વ્યવસ્થા, એવું અમારું ગામ વડિયા બનાસકાંઠામાં આવેલું છે. પોતાના જીવનના સૌથી કપરા સમયને યાદ કરતા ચંદ્રા સરાનિયાના જણાવ્યા મુજબ તે જ્યારે 15 વર્ષની હતી ત્યારથી જ દેહવ્યાપારમાં ધકેલી દેવાઈ હતી. જેમા આ ગામની મોટાભાગની મહિલા વર્ષોથી કામ કરતી હતી. ચંદ્રાને ત્રણ બાળકો થયા બે દીકરા અને એક દિકરી. પોતે ભલે દેહવેપારના આ દલદલમાં હતી પરંતુ પોતાના બાળકો અને તેમના ભવિષ્ય પર આ કાલિમાનો એક છાંટો પણ પડવા દેવા માગતી નહોતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સરકારે જમીન આપી પણ પાણી વગર ખેતી કેમ થાય

એક સમયે જ્યારે સરાનિયા સમાજની લગભગ બધી જ છોકરી અને મહિલા દેહવેપારમાં ધકેલાઈ ગઈ હતી ત્યારે પણ ચંદ્રાએ પોતાની દીકરી અને સંતાનો તેમજ બીજી પણ ઘણી છોકરીઓને આ બદીથી દૂર રાખવામાં સફળ રહી હતી.

ગામની મોટાભાગની મહિલાઓ વેશ્યાવૃત્તિમાં સામેલ

ચંદ્રા કહે છે કે, ‘2007માં જ્યારે વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકર્તાઓ મારે ત્યાં આવ્યા ત્યારે તેમણે મારી 12 વર્ષની દીકરીને જોઈ અને મને કહ્યું કે આમને આ દેહવેપારના ધંધામાં ધકેલીને આ નર્ક જેવી જીંદગીથી દૂર રાખવા માટે વાત કરી અને હું તરત જ તૈયાર થઈ ગઈ.’ આજે 50 વર્ષની ચંદ્રા કહે છે કે મને ખબર હતી કે અમે આ દલદલમાંથી બહાર આવીશું એટલે બે ટાઈમ ખાવાના પણ સાંસા પડશે.

કોઈપણ ભોગે દીકરીને આ નર્કના પડછાયાથી દૂર રાખવા માગતી હતી

ચંદ્રા કહે છે કે અમારા ગામમાં તો મોટાભાગ લોકો મને કહેતા કે તું ખોટું કરી રહી છે. આ ગામમાં રહેતી દરેક મહિલાના ભાગ્યમાં આ દેહવેપાર જ લખાયેલો છે. પરંતુ હું એક વાતે મક્કમ હતી કે મે જેવું જેવું નર્ક સમાન જીવન જીવ્યું છે તેવું મારી દીકરી તો નહીં જ જીવે.

આ રીતે પોતાની દીકરી અને ગામની અનેક દીકરીઓનું જીવન સુધાર્યું

વર્ષ 2012માં ચંદ્રાની દીકરી 18 વર્ષની થઈ ગઈ ત્યારે તેણે તેના લગ્ન કરાવી આપ્યા. જે બાદ વિચરતા સમયુદાય સમર્થન મંચના કાર્યકર્તાઓએ ચંદ્રાને દરેક પ્રકારના દેહવેપારથી પોતાનો સંબંધ હંમેશ માટે તોડી નાખવા પ્રોત્સાહિત કરી અને તે તરત તૈયાર પણ થઈ ગઈ. NGOની મદદથી તેણે 8 ભેંસ ખરીદી તેના દ્વારા પોતાનું જીવન વ્યવહાર ચલાવવા લાગી. ચંદ્રા કહે છે ‘મે મારા ભાઈઓને પણ પોતાની દીકરીઓને આ નર્કાગારમાં ન મોકલવા માટે સમજાવ્યા અને તેમને પણ માન-સમ્માન પૂર્વકનું જીવન મળે તે માટે અન્ય જીવનવ્યાપનના રસ્તા અપનાવ્યા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VkNHPs

No comments:

Post a Comment

Pages