Latest

Monday, May 20, 2019

પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે થઈ ગયો પ્રેમ, પરિવારે લગ્ન માટે ના પાડી તો…

પ્રેમી-પંખીડાએ કર્યો આપઘાત

આજના સમયમાં પ્રેમી-પંખીડાઓને લગ્ન માટે ઘરેથી મંજૂરી ન મળે તો એવું કરી બેસતા હોય છે, જેની કલ્પના માત્રથી લોકોને ધ્રુજરી આવી જાય. આવી જ કંઈક ઘટના બની છે ઉત્તર પ્રદેશના કન્નોજમાં. આ ઘટના બાદ આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રેમી યુગલને કરવા હતા લગ્ન

કન્નોજમાં પ્રેમી યુગલ લગ્ન કરવા માગતું હતું, પરંતુ પરિવારજનોએ ના પાડતાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં પહેલા પ્રેમિકાએ ઝેરી દવા ખાઈને જીવન ટૂંકાવી દીધું. તો જ્યારે તેનો મૃતદેહ રવિવારે ગામમાં પહોંચ્યો, તેને જઈને પ્રેમીએ પણ ગળે ફાંસો ખાંઈને આત્મહત્યા કરી લીધી.

પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે થયો પ્રેમ

પ્રેમી અને પ્રેમિકા સગીર હતા, બંનેએ આત્મહત્યા કરી હોવાના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સતર કોતવાલીના નેરા ગામમાં રહેતા મોતીલાલ દોહરેની 17 વર્ષની દીકરી પ્રાંસીને ઘર પાસે રહેતા બેચેલાલના 17 વર્ષના દીકરા અર્જુન સાથે પ્રેમ થયો હતો.

પરિવારજનોએ લગ્ન માટે પાડી ના

એક મહિના પહેલા પ્રાંસીના પરિવારને બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની જાણકારી થી હતી. અર્જુન અને પ્રાંસીના પિતા સગા ભાઈઓ છે, તેથી પ્રાંસીના પરિવારે લગ્ન માટે ના પાડી દીધી હતી. જે બાદ તેના પરિવાજનોએ એક સંબંધીને ત્યાં પ્રાંસીના લગ્ન નક્કી કરી દીધા હતા. 15મેના દિવસે પ્રાંસીની સગાઈ થઈ અને બીજા દિવસે તેણે લગ્ન માટે ના પાડી દીધી.

ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રાંસીએ લગ્ન માટે ના પાડતાં તેના માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જે બાદ તેણે ઝેરી દવા પી લીધી હતી. જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રાંસીનું મોત થઈ ગયું. પ્રાંસીની લાશ જોઈને અર્જુન પણ દોડતો ઘરે પહોંચ્યો હતો અને પંખા પર લટકીને જીવ ત્યજી દીધો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Qeqcqe

No comments:

Post a Comment

Pages