Latest

Tuesday, May 7, 2019

વડોદરાથી દોઢ કલાકના અંતરે આવેલું છે આ રળીયામણું સ્થળ, વન ડે ટ્રિપ માટે છે બેસ્ટ

એક દિવસની ટ્રિપ માટે બેસ્ટ છે આ જગ્યા

મોટાભાગના લોકોના ઘરે ઉનાળુ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જો કામધંધા કે નોકરીમાં લાંબી રજાઓ પાળી શકો તેમ ન હોવ તો એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી. વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે આવેલ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે જઈ આવો. અહીં તમને ખળખળ વહેતી નર્મદા, ચારે તરફ ફેલાયેલ વનરાજી અને મંદિરની આસપાસ ફેલાયેલ સુંદરતા તમારું મન મોહી લેશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વડોદરાથી માત્ર 86 કિમી દૂર છે

વડોદરા થી આશરે 86 કિમી દૂર રાજપીપળા પાસે નર્મદા કાંઠે આવેલું છે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર. ખાસ્સૂ જૂનું અને સુંદર શંકર ભગવાનનું આ મંદિર સરદાર સરોવર ડેમથી પણ ખુબ જ નજીક આવેલું છે. મંદિરની સુંદરતા સાથે તેનું બીજુ મહત્વનું પાસુ એ છે કે તે શહેરના ટ્રાફિક ઘોંઘાટથી ખૂબ દૂર નીરવ વનરાજીમાં આવેલું છે. ત્યારે શહેરી લાઈફની ભાગદોળમાંથી એક દિવસ માટે રિલેક્સ થવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. તેમાં પણ શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ રહે છે. બાકીના દિવસોમાં છુટાછવાયા પ્રવાસીઓ આવે છે.

જંગલ અને નીરવ શાંતિ

આ મંદિરની આસપાસ ગાઢ જંગલ આવેલું છે. જેને ગુજરાતનું સૌથી ગીચ જંગલ હોવાનું માનવામાં આવે છે. અહીં જંગલી પ્રાણીઓનું અભ્યારણ્ય પણ આવેલું છે.આ અભ્યારણ્યમાં વાંસના ઝાડનું જંગલ છે. જેમાં 575 પ્રજાતિના વિવિધતા સભર સુંદર ફૂલો જેવા મળે છે. આ જંગલમાં રીંછ, ચિત્તો, ચિત્તલ, જંગલી શ્વાન જેવા ઘણાં પ્રાણીઓ જોવા મળે છે. આ અભ્યારણ્ય 607.70 ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

ઝરવાણી ધોધ પણ નજીકમાં આવેલ છે

મંદિરના પ્રાગણમાં એક સુંદર બગીચો છે જ્યાં તમે પરિવાર સાથે બેસીને વન ભોજનનો આનંદ માણી શકો છે. આ સાથે જ નજીકમાં આવેલ ઝરવાણી ધોધ પણ મુખ્ય આકર્ષણ છે. અહીં જવા માટે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરથી થાવડીયા ચેકપોસ્ટ પહોંચવું પડે છે જ્યાં આશરે રુ. 200 જેટલી ફી ભરીને જંગલમાં 7 કિમી જેટલું અંદર જવું પડે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2PSYXBx

No comments:

Post a Comment

Pages