Latest

Friday, May 17, 2019

વ્હોટ્સએપે યુઝર્સને એપ અપગ્રેડ કરવા જણાવ્યું

69340467

બેંગાલુરુ:ફેસબૂકની મેસેજિંગ એપ્લીકેશન વ્હોટ્સએપે તેના યુઝર્સને એપ્લીકેશનનું નવું વર્ઝન અપડેટ કરવાની સૂચના આપી છે. એપ્લીકેશનના ફોન કોલ ફંક્શન મારફતે ફોનમાં સ્પાયવેર ઇન્જેક્ટ થતું હોવાનું માલૂમ પડ્યા બાદ તેણે તાજું વર્ઝન અપગ્રેડ કરી લેવાની સૂચના આપી છે.

ભારતમાં વ્હોટ્સએપના 30 કરોડથી પણ વધારે યુઝર છે અને ઘણા લોકો વ્હોટ્સએપ કોલ અને વિડિયો કોલ કરતા હોય છે. સમગ્ર વિશ્વમાં 1.5 અબજ યુઝર વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે.

ઇઝરાયેલની સાઇબર ઇન્ટેલિજન્સ કંપની NSO ગ્રૂપ દ્વારા સ્પાયવેર વિકસાવવામાં આવ્યું હોવાનું એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આ સમાચાર બાદ વ્હોટ્સએપના પ્રવક્તાએ ઈમેઈલ મારફતે જણાવ્યું હતું કે, “અમારી એપ્લીકેશનનું તાજું વર્ઝન અપગ્રેડ કરવા માટે વ્હોટ્સએપ લોકોને વિનંતી કરે છે તેમજ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અપ-ટુ-ડેટ રાખવાની સૂચના આપે છે, જેથી તમારા મોબાઇલ ડિવાઇસમાં સંગ્રહ થયેલી માહિતી મેળવવા માટે થતા સંભવિત પ્રયાસો નિષ્ફળ જશે.” હેકર્સ દ્વારા યુઝરને કોલ કરીને તેના ફોનમાં વાઇરસભર્યો કોડ ટ્રાન્સમિટ થઈ શકે છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તેને આ અંગે ચાલુ મહિને જ માલૂમ પડ્યું હતું અને કંપનીએ તાત્કાલિક તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2W9PTxG

No comments:

Post a Comment

Pages