Latest

Friday, May 24, 2019

દિગ્વિજયની જીત માટે મરચાંનો હવન કરનારા બાબા ભરાયા, લોકો કરી રહ્યા છે આવી મશ્કરી

ભોપાલ: લોકસભા ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજયસિંહ માટે 51 કિલો મરચાનો હેમીને હવન કરનારા બાબા ભરાયા છે. ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહની તરફેણમાં મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ પ્રચાર કર્યો હતો, અને તેમણે દિગ્વિજય માટે ખાસ મરચાંનો હવન કરવાની પણ વાત કરી હતી.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

બાબાએ દિગ્વિજયની જીતની ગેરંટી લેતા ત્યાં સુધી દાવો કરી દીધો હતો કે જો દિગ્વિજય સિંહ હારી જશે તો તેઓ જ્યાં હવન કર્યો છે ત્યાં જ જીવતા સમાધિ લઈ લેશે. બાબાએ હવન કરતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દિગ્વિજય સિંહ જીતવાના જ છે. પોતે તેમની જીતને લઈને આશ્વસ્ત છે, અને એટલા માટે જ જો દિગ્વિજય હાર્યા તો પોતે સમાધિ લેવાની વાત કરી રહ્યા છે.

જોકે, હવે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને દિગ્વિજય સિંહ ચૂંટણી હારી ચૂક્યા છે. રિઝલ્ટ આવ્યાના એક જ દિવસમાં લોકોએ દિગ્ગી હારી જાય તો જીવતા સમાધિ લેવાની વાત કરનારા બાબાને ફોન કરીને પજવવાનું શરુ કરી દીધું છે. ફોન કરનારાઓ બાબાને પૂછી રહ્યા છે કે તમે ક્યારે સમાધિ લઈ રહ્યા છો? બાબા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ લોકો સોશિયલ મીડિયામાં ધડાધડ ફોરવર્ડ કરી રહ્યા છે.

જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં બાબાએ ફોન કરનારાઓને શાંતિથી જવાબ આપતા સાધુને જ્ઞાન ન આપવાની વણમાગી સલાહ આપી રહ્યા છે, એટલું જ નહીં પોતે દિગ્વિજયની સાથે જ છે અને રહેશે તેવું પણ કહી રહ્યા છે. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની લોકસભા બેઠક પર સાધ્વી પ્રજ્ઞા અને કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજય વચ્ચે ટક્કર હતી. આ બેઠક પર વિજેતા સાધ્વી પ્રજ્ઞા થયાં છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Wl88Ap

No comments:

Post a Comment

Pages