Latest

Wednesday, May 15, 2019

કેન્સરના દર્દીએ અજયને તમાકુનો પ્રચાર બંધ કરવા કરી હતી વિનંતી, અજયે આપ્યો આવો જવાબ

કેન્સરના દર્દીને અજયનો જવાબઃ

કેન્સરના એક દર્દીએ અજય દેવગણને તમાકુનું પ્રમોશન ન કરવાની વિનંતી કર્યાના એક અઠવાડિયાની અંદર અજય દેવગણે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તે સમાજમાં નકારાત્મક અસર કરે તેવી કોઈપણ પ્રોડક્ટને પ્રમોટ નથી કરી રહ્યો. અજયે બચાવમાં કહ્યું કે તે તમાકુ નહિ, એલચીની એડ કરે છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

કેન્સરના દર્દીએ કરી હતી વિનંતીઃ

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 40 વર્ષના કેન્સરના દર્દી નાનકરામે અજય દેવગણને સમાજના હિતમાં તમાકુની પ્રોડક્ટ્સ પ્રમોટ ન કરવાની જાહેરમાં અરજી કરી હતી. દર્દીએ કહ્યું કે તે અજય દેવગણનો ચાહક હતો અને અજય જેની એડ કરે છે તે જ પ્રોડક્ટ યુઝ કરતો હતો. હવે તેને અહેસાસ થાય છે કે તેની તેના જીવન પર કેટલી નકારાત્મક અસર પડી છે.

કોન્ટ્રેક્ટમાં છે સ્પષ્ટતાઃ

PTIને આપેલા ઈન્ટરવ્યુમાં અજય દેવગણે જણાવ્યું, “મેં હંમેશાથી મારા કોન્ટ્રેક્ટમાં પણ એ વાત સ્પષ્ટ કરી છે કે હું તમાકુની એડ નથી કરતો. જે એડ છે તે એલચીની છે. મારો કોન્ટ્રેક્ટ જણાવે છે કે તેમાં તમાકુ નથી. આથી જો કંપની એ નામે કંઈ બીજુ વેચતી હોય તો મને નથી ખબર કે શું કરવું જોઈએ.” એક્ટરે એમ પણ કહ્યું કે તે પાત્રની માંગ ન હોય તો તે સ્ક્રીન પર પણ સ્મોકિંગ ટાળવાની કોશિશ કરે છે.

ફિલ્મોમાં પણ ટાળવાની કોશિશઃ

અજયે જણાવ્યું, મારી લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દેમાં હું સામાન્ય વ્યક્તિનું પાત્ર ભજવું છે જે સ્મોક નથી કરતો. પરંતુ હું ‘કંપની’ જેવી ફિલ્મમાં મલિક ભાઈનું પાત્ર ભજવતો હોઉં તો સ્મોકિંગ વિના કેવી રીતે ચાલે. હું નામ લીધા વગર કહીશ, અમે એવા લોકોનું પાત્ર ભજવીએ છીએ જે ખરેખર સ્મોક કરે છે. આથી આવા કેસમાં જો અમે સ્મોક ન કરીએ તો તે પાત્ર માટે યોગ્ય નહિ ગણાય.” અજય દેવગણ હવે રકુલ પ્રીત અને તબુ સાથે “દે દે પ્યાર દે”માં જોવા મળશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2EbyzOz

No comments:

Post a Comment

Pages