Latest

Tuesday, May 14, 2019

મણિશંકરે મોદીને ‘નીચ’ કહેલા નિવેદનને યોગ્ય ગણાવ્યું, લખ્યો લેખ

મણિશંકરે પોતાના ભૂતકાળને યાદ કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે 2017માં વડાપ્રધાન મોદી વિશે કરેલા વિવાદિત નિવેદન ‘નીચ પ્રકારના વ્યક્તિ’ને યોગ્ય ઠેરવીને તેના પર લેખ લખ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા દરમિયાન આ વિવાદિત નિવેદન ઘણું ચર્ચામાં આવ્યું હતું જે બાદ ભાજપ અને મોદીએ મણિશંકરને આડે હાથ લીધા હતા તો કોંગ્રેસે પણ મણિશંકરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો.

એ સમયે મણિશંકરે પોતાનો બચાવ કરીને કહ્યું હતું કે, “હિન્દી ભાષા તેની માતૃભાષા નથી અને મારા શબ્દનો અલગ અર્થ થતો હોય તો હું માફી માગું છું.”

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પીએમ મોદીને ‘નીચ’ કહ્યા હતા તેનો ફરી ઉલ્લેખ

2017માં મીડિયા સાથે વાત કરતી વખતે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને “નીચ પ્રકારના વ્યક્તિ” શબ્દ પ્રયોગ કર્યો હતો. એ સમયે તેની ભાજપ સહિત અન્ય પક્ષોએ નિંદા કરી હતી, જે બાદ મણિશંકરે માફી પણ માગી લીધી હતી. જોકે, હાલમાં છપાયેલા તેમના લેખમાં વડાપ્રધાન મોદીની અત્યારની રેલીઓના નિવેદનોને ટાંકીને કહ્યું છે, “યાદ છે 2017માં મે મોદીને શું કહ્યું હતું? શું મે બરાબર ભવિષ્યવાણી નહોતી કરી?”

મોદીના શિક્ષણ જ્ઞાન સામે સવાલ ઉઠાવ્યો

પોતાના લેખમાં ઐયરે મોદીની રેલીઓ અને ઈન્ટરવ્યુમાં જે નિવેદનો આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો છે. મોદીના શિક્ષણનો ઉલ્લેખ કરીને ઐયરે ભગવાન ગણેશની “પ્લાસ્ટિક સર્જરી” અને રોપવેને પ્રાચિન વિમાન ગણાવનારા નિવેદનોને “અજ્ઞાનતાથી ભરેલા દાવા” ગણાવ્યા છે. આ સિવાય ઐયરે ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો છે જેમાં મોદીએ બાલાકોટ હુમલાના સમયે વાદળોના કારણે ફાયદાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

“શું મે યોગ્ય ભવિષ્યવાણી નહોતી કરી?”

પોતાના લેખમાં ઐયરે મોદીના નિવેદનની નિંદા કરી, જેમાં મોદીએ કહ્યું હતું કે, “ડિસેમ્બર 1987માં રાજીવ ગાંધી આઈએનએસ વિરાટને પર્સનલ ટેક્સી તરીકે લક્ષ્યદ્વીપ લઈ ગયા હતા.” આ પછી જ ઐયરે લખ્યું છે કે, “યાદ છે 2017માં મે મોદી વિશે શું કહ્યું હતું? શું મે યોગ્ય ભવિષ્યવાણી નહોતી કરી?”



from Page Array – I Am Gujarat http://bit.ly/2QbDlkd

No comments:

Post a Comment

Pages