સંપત્તિમાં વધારો કરે છે
તા. 7 એપ્રિલના મંગળવારના રોજ અખાત્રીજ અને અક્ષય તૃતિયા નક્ષત્રનો યોગ છે. આ દિવસે ભગવાન પર્શુરામનો જન્મદિવસ હોવાથી પર્શુરામ જંયતિ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક વિદ્વાનોએ જણાવ્યા અનુસાર તા.7નાં મંગળવારે સવારે 6.40થી લઈને 12.26 સુધી પૂજા કરવા માટે શુભ મુહૂર્ત છે. જ્યારે સોનું ખરીદવા માટેનું મુહૂર્ત 11.47 વાગ્યા સુધીનું છે. હિન્દુ રીત-રિવાજ અનુસાર આ દિવસે સોનું લેવાની પરંપરા છે. આ દિવસે ખરીદેલું સોનું સંપત્તિમાં વધારો કરે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સારા કાર્યો માટે શુભ દિવસ

એવું પણ કહેવાય છે કે, આ દિવસે કોઈ પણ સારું કામ કરી શકાય છે. આ દિવસે લોકો પોતાની રાશિ અનુસાર રત્નો પણ ધારણ કરે છે. જોકે, આ માટે કોઈ પણ સમય શુભ રહે છે. આ સિવાય જ્યોતિષોએ જણાવ્યા પ્રમાણે જે તે વ્યક્તિ પોતાની રાશિ અનુસાર જે તે આભુષણ ખરીદે તો તેને ચોક્કસ ફાયદો થાય છે અને તે આભુષણ પણ તેમના કાર્યકાળમાં શુભ સાબિત થાય છે.
મેષ

મેષ રાશિના લોકો માટે તાંબુ અને સોનાની વસ્તુઓ શુભ રહે છે. એટલે જરુરી નથી કે, સોનું જ ખરીદવું જોઈએ. આ રાશિના લોકો તાંબુ પણ ખરીદી શકે છે. આ ઉપરાંત આ રાશિના લોકોએ અક્ષય તૃતિયાના દિવસે ગરીબોને દાન પણ આપવું જોઈએ. આ દાનમાં ઘઉં હોવા અનિવાર્ય છે.
વૃષભ

આ રાશિના લોકો સોના સિવાય ચાંદીનો સિક્કો કે ચાંદીથી બનેલી કોઈ પણ વસ્તુની શુભ મુહૂર્ત પ્રમાણે ખરીદી કરી શકે છે. આ રાશિના લોકોએ આ અખાત્રીજના દિવસે ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કપડાંનું દાન આ રાશિના લોકો માટે શુભ ફળદાયી માનવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં સારું પરિણામ મળી શકે છે.
મિથુન

આ રાશિના લોકોએ ચાંદીની કોઈ વસ્તુ ખરીદવી જોઈએ. આ સિવાય નવા કપડાં પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત મંદિરમાં જઈને મગનું દાન કરવું જોઈએ. આ રાશિના જાતકો માટે મગ લાભ આપતા પરિબળ છે.
કર્ક

આ રાશિના જાતકોએ અક્ષય તૃતિયાના દિવસે ચાંદી અને ફૂલદાની ખરીદવી જોઈએ. અથવા ધાતુના કોઈ વાસણ ખરીદવા જોઈએ. આ દિવશે કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના કરવી જોઈએ. શિવ ઝડપથી પ્રસન્ન થતા દેવા છે અને આ દાન શુભ પરિણામ આપનારું સાબિત થશે.
સિંહ

સિંહ રાશીના જાતકોએ આ દિવોસે ખાસ સોનું ખરીદવું જોઈએ. આ ઉપરાંત મંદિરની આસપાસના સાધુ સંતોને પણ યથાશક્તિ દાન કરવું જોઈએ. આ દાન તેમના માટે ખૂબ જ શુભ નીવડશે. આ ઉપરાંત પરિણામકારી પણ સાબિત થશે.
કન્યા

કન્યા રાશિના જાતકોએ આ દિવસે ચાંદી અને સ્ટિલના વાલણ ખરીદવા જોઈએ. વાંસણની ખરીદી આ લોકો માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે આ રાશીના જાતકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જેથી શુભફળની પ્રાપ્તિ થાય
તુલા

તુલા રાશિના લોકોએ સોનાના ઘરેણા સિવાય ચાંદીના સિક્કા કે ચાંદીની કોઈ વસ્તનું ખરીદી કરવી જોઈએ. આ ઉપરાંત ગરીબોમાં સફેદ વસ્ત્રોનું તથા લીલા રંગના કપડાંનું દાન કરવું જોઈએ. આ દિવસે વહેલા ઊઠીને પૂજા કરવાથી પણ ફાયદો થાય છે.
વૃશ્ચિક

આ રાશિના લોકોએ આ દિવસે સોના સિવાય તાંબાના વાસણની ખરીદી કરવી જોઈએ. આ ઉપરાંત તેઓ સોનાની કોઈ નાની વસ્તુ પણ ખરીદી શકે છે. જો મુહૂર્ત અનુસાર આ સોનું ખરીદવામાં આવે તો ચોક્કસ તેનો લાભ મળી રહે છે.
ધન

આ રાશિના લોકો અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદી શકે છે. આ દિવસે જો જાતકો નિર્ધારિત પરિણામ મેળવવા માગતા હોય તો ગરીબોમાં ચણાની દાળનું દાન કરવું જોઈએ. ચણાનું દાન આ લોકો માટે શુભ માનવામાં આવે છે.
મકર

મકર રાશિના લોકોએ ચાંદીના સિક્કા તથા ચાંદીના કોઈ પણ ઘરેણાંની ખરીદી કરવી જોઈએ. આ સિવાય તેઓ ગરીબોને કોઈ પણ લોઢાની ડોલનું દાન કરી શકે છે. આ સિવાય આ દિવસે હનુમાનજીના દર્શન કરવાથી અને હનુમાન ચાલિસાના પાઠ કરવાથી પણ ફાયદો થાય છે.
કુંભ

આ દિવસે કુંભ રાશિના જાતકોએ સોનાની ખરીદી સિવાય સાધુ-સંતોને દાન કરવું જોઈએ. આ સિવાય શિવજીની આરાઘના કરવી જોઈએ તથા સુંદરકાંડના પાઠ પણ કરવા જોઈએ. અક્ષય તૃતિયાના દિવસે હનુમાનજીના દર્શન કરવાથી ખૂબ સારા પરિણામો આવે છે.
મીન

આ રાશિના લોકોએ સોનાની ખરીદી સિવાય ઘરનો કોઈ પણ સામાન ખરીદવો જોઈએ. અક્ષય તૃતિયાના દિવસે ઘરની કોઈ પણ વસ્તુની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં પણ સમૃદ્ધિ આવે છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2V4R1yb
No comments:
Post a Comment