કેતન ઠક્કર
મુંબઈ:ભારતમાં માત્ર કારનું જ વેચાણ ધીમું પડ્યું નથી, છેલ્લાં બે વર્ષમાં દર સપ્તાહે સરેરાશ બે વ્હિકલ ડીલર્સે બિઝનેસ બંધ કર્યો છે. દેશના ઓટોમોટિવ રિટેલ સેક્ટરને આ ગાળામાં ઓછામાં ઓછી ₹2,000 કરોડની ખોટ થઈ છે અને 205 ડીલર્સને બિઝનેસ સમેટવાની ફરજ પડી છે.
ડીલર્સ માટે બિઝનેસ ચલાવવાનું મુશ્કેલ બન્યું છે અને તેને લીધે 3,000 લોકોએ જોબ ગુમાવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વ્હિકલ ડીલર્સનું નુકસાન ઘણું મોટું છે. ડીલરશિપ્સને અપાયેલી લોન નોન-પરફોર્મિંગ એસેટ્સમાં પલટાવાની બેન્કોને ચિંતા છે. ભારતમાં ડીલર્સનું માર્જિન 2.5-5 ટકાની રેન્જમાં હોય છે, જેની તુલનામાં વૈશ્વિક ડીલર્સનું માર્જિન 8-12 ટકા હોય છે.
ડીલર્સને કેટલાંક મહત્ત્વનાં કારણોને લીધે બિઝનેસ બંધ કરવો પડ્યો છે. જેમાં મોટાં શહેરોમાં પ્રોપર્ટીનાં ભાડાં અને કર્મચારીઓનો ખર્ચ બમણો થયો છે. ઇન્શ્યોરન્સ અને ફાઇનાન્સ કંપનીઓનાં માર્જિન ઘટ્યાં છે અને GSTના અમલ પછી સિસ્ટમમાં તરલતાની ખેંચ વધી છે. કાર અને ટુ-વ્હિલરના નેટવર્કમાં વિસ્તરણ છતાં તે વેચાણના જંગી ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સના પ્રેસિડન્ટ આશિષ કાલેએ તરલતાની ખેંચ, ગેરવહીવટ અને ડીલરશિપ્સમાં વૃદ્ધિને કારણે રિટેલ બિઝનેસમાં ટકવું મુશ્કેલ બન્યું છે.
GST જુલાઈ 2017માં અમલી બન્યો એ પહેલાં ડીલર્સ પાસે વેચાણવેરો અને કાર પર VAT ચૂકવવા બે મહિનાનો સમય મળતો હતો. GSTની સિસ્ટમ હેઠળ તેમણે ટેક્સ પહેલેથી જ ચૂકવી દેવો પડે છે, જેની અસર તેમની કાર્યકારી મૂડી પર થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં મહાનગરો અને મોટાં શહેરોમાં દર બે ડીલર્સે એક ડીલર બંધ થયા છે. ઉપરાંત, છેલ્લાં કેટલાંક વર્ષમાં 20-30 બજારો ખોટ વેઠી રહ્યાં છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2V6vzgW
No comments:
Post a Comment