કરણ વાહી નહીં બને મિ. બજાજ

ટેલિવિઝન સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી 2’માં ટૂંક સમયમાં જ યાદગાર પાત્ર મિસ્ટર ઋષભ બજાજની એન્ટ્રી થવાની છે. મિસ્ટર બજાજના રોલ માટે અલગ-અલગ નામની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ મુજબ, પહેલા કરણ વાહીનું નામ લગભગ આ રોલ માટે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હવે આ રોલ માટે ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી સિઝનમાં કામ કરી ચૂકેલા એક્ટરનું નામ સામે આવી રહ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ એક્ટરનું નામ સામે આવ્યું

મીડિયા રિપોર્ટ મુજબ, મિસ્ટર બજાજનું પાત્ર ભજવવા માટે કરણ સિંહ ગ્રોવરનો સંપર્ક કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કરણ સિંહ ગ્રોવર ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી સીઝનમાં શરદ ગુપ્તાના પાત્રમાં જોવા મળ્યો હતો. પહેલી સિઝનમાં મિસ્ટર બજાજનું પાત્ર રોનિત રોયે ભજવ્યું હતું જેના માટે આજે પણ દર્શકો તેને યાદ કરે છે.
17 મેથી શૂટિંગ શરૂ કરી શકે કરણ!

એક મીડિયા રિપોર્ટ મુજબ, એકતા કપૂરે કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજના રોલ માટે અપ્રોચ કર્યો છે. કરણ હાલ કોન્ટ્રાક્ટ સાઈન કરવાની પ્રક્રિયામાં છે. અને તે શોનું શૂટિંગ 17 મેથી શરૂ કરશે. ટૂંક સમયમાં જ શોમાં મિસ્ટર બજાજની એન્ટ્રી થવાની છે. હવે જોવાનું એ રહેશે કે કરણ મિસ્ટર બજાજના પાત્ર સાથે કેટલો ન્યાય કરી શકે છે.
લાંબા સમયથી ટીવીના પડદેથી દૂર છે કરણ

જો કરણે આ શો સાઈન કર્યો તો ટીવીની દુનિયામાં તેનું કમબેક હશે. લાંબા સમયથી કરણ ટીવીના પડદેથી ગાયબ છે. અગાઉ કરણ દિલ મિલ ગયે અને કૂબૂલ હૈ જેવા હિટ ટીવી શોમાં જોવા મળી ચૂક્યો છે. કરણ સિવાય આ રોલ માટે ઘણા એક્ટર્સના નામ પર ચર્ચા થઈ ચૂકી છે. જેમાં સમીર કોચ્ચર, એજાઝ ખાન, ઈકબાલ ખાનનું નામ ટોપ લિસ્ટમાં હતું. ‘કસૌટી ઝિંદગી કી 2’માં હવે કોમોલિકાનો રાઝ ખુલવાનો છે. કોમોલિકાના ડ્રામા બાદ શોમાં મિસ્ટર બજાજની એન્ટ્રી થશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/30l2i14
No comments:
Post a Comment