પંતના બદલે કાર્તિકને સ્થાન મળતા ચર્ચા

કે. શ્રીનિવાસ રાવ, મુંબઈ : વર્લ્ડકપ 2019 માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી તો એક નામ પર સૌથી વધુ ચર્ચા થઈ. મહેન્દ્ર સિંહ ધોનીના બેકઅપ વિકેટકીપરના રૂપમાં 15 સભ્યોની ટીમમાં અનુભવી દિનેશ કાર્તિકને યુવા રિષભ પંતથી પહેલા પ્રાધાન્ય અપાયું. ઘણા લોકોએ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દિગ્ગજો પણ દંગ

સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજે પણ કહ્યું કે, ભારતને વર્લ્ડકપમાં 21 વર્ષીય આ ડાબોડી વિકેટકીપર બેટ્સમેનની ખોટ સાલશે. પૂર્વ ઑસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પૉન્ટિંગે પણ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. પૉન્ટિંગે કહ્યું કે, પંતમાં એક્સ ફેક્ટર છે અને તેને ટીમમાં શામેલ ન કરાવવાથી તે ખૂબ જ દંગ છે. જોકે, હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને કોચે આ વિવાદ પર પોતાના મત રજૂ કર્યા છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, આખરે કેમ કાર્તિકને પંતના બદલે કેમ પસંદ કરવામાં આવ્યો.
કેપ્ટન કોહલીએ આપ્યું કારણ

વિરાટે કહ્યું, ‘દબાણની પરિસ્થિતિમાં કાર્તિકે સંયમ દેખાડ્યો. ટીમ મેનેજમેન્ટમાં બધા લોકો કાર્તિકની આ ખાસિયતથી વાકેફ છે.’ કાર્તિકના અનુભવનો ઉલ્લેખ કરતા કોહલીએ કહ્યું, ‘દિનેશ પાસે અનુભવ છે. ભગવાન કરે, જો મહેન્દ્ર સિંહ ધોનીને કંઈક થઈ જાય તો સ્ટમ્પની પાછળ કાર્તિક ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.’
સારા ફિનિશરની ભૂમિકામાં ફિટ છે કાર્તિક

કાર્તિક વિકેટકીપિંગ ઉપરાંત મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં એક ફિનિશર તરીકે પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી ચૂક્યો છે. તેની આ ખાસિયત વિશે કેપ્ટને કહ્યું, ‘એક ફિનિશર તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે. કુલ મળીને જોવા જઈએ તો આ મોટી ટૂર્નામેન્ટમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.’
15 શ્રેષ્ઠ ખેલાડીઓને પંસદ કરવા મુશ્કેલ : શાસ્ત્રી

બીજી તરફ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કોઈ ક્રિકેટરના ટીમમાં સ્થાન ન બનાવી શકવા અંગે એકથી વધુ મત હોઈ શકે છે. તેણે કહ્યું, ‘મારી સંવેદનાઓ તેની સાથે છે.’ શાસ્ત્રીએ કહ્યું કે, આટલા પ્રતિભાશાળી ક્રિકેટરોમાંથી 15 લોકોને પસંદ કરવા સરળ નથી હોતું. તેણે ટીમમાં સ્થાન ન મેળવી શકનારા ખેલાડીઓ માટે કહ્યું, ‘મારો આવા ખેલાડીઓને એક જ સંદેશ છે, જે રીતે તમે રમી રહ્યાં છો તેવી જ રીતે રમતા રહો. જો અચાનક કોઈ પરિસ્થિતિ સર્જાય તો તેના માટે તૈયાર રહો.’ ત્યારબાદ તેણે કહ્યું કે, સિલેક્ટર્સે તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2JotS8i
No comments:
Post a Comment