Latest

Sunday, May 12, 2019

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનામાં ઘૂંટણ-થાપાના દર્દીઓને મળશે આ લાભ

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમતૃમ (મા) અને મા વાત્સલ્ય યોજનામાં પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂપિયા 5 લાખ સુધીની સહાયની જાહેરાત કરી છે. જેના કારણે હવે આ યોજના હેઠળ દર્દીઓ ઘુંટણ (ની) રિપ્લેસમેન્ટની સારવાર મેળવી શકશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવારની સુવિધા પુરી પાડવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનામાં ઘુંટણ રિપ્લેસમેન્ટની સારવારની સુવિધા આપવામાં આવતી ન હતી.

આ બાબતે હવે સરકારે જાહેરાત કરી છે કે આ યોજનામાં નોંધાયેલા લાભાર્થીઓ હવે ઘુંટણ રિપ્લેસમેન્ટની સારવાર પણ કરી કરાવી શકશે. જેના માટે લાભાર્થીએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા અધિક્ષક દ્વારા ચકાસણીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Vudee1

No comments:

Post a Comment

Pages