આ કંપનીઓના બિઝનેસમાં મંદીઃ

કિરણ કાબ્તા સોમવંશી, નવી દિલ્હીઃ મચ્છર ભગાડવાના સામાન બનાવતી કંપનીઓને અનેક કારણસર બિઝનેસમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સેગમેન્ટની સૌથી મોટી કંપની ગોદરેજ કંઝ્યુમર પ્રોડક્ટ્સ (GCPL) અને જ્યોતિ લેબોરેટરીઝ (JLL)નો છેલ્લા ત્રણ વર્ષમાં હાઉસહોલ્ડ ઈનસેક્ટિસાઈડ્સનો બિઝનેસ ઘટી ગયો છે. આ કંપનીઓ સામે સૌથી મોટો પડકાર ક્લાઈમેટ ચેન્જ અને વધુ અસરકારક ઈમ્પોર્ટેડ અગરબત્તીઓ છે. સાથે દેશમાં સ્વચ્છતા અભિયાને પણ ઝડપ પકડી હોવાથી તેની અમુક અંશે અસર આ કંપનીઓના બિઝનેસ પર પડી છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
ધૂપબત્તીનો ઉપયોગ વધ્યોઃ

માર્ચમાં પૂરા થતા ક્વાર્ટરમાં GCPLનો હોમ ઈનસેક્ટિસાઈડ્સનો બિઝનેસ 553 કરોડનો હતો. જે ગયા વર્ષની સરખામણીએ 6 ટકા ઓછો છે. એ રીતે JLLની જાન્યુઆરીથી માર્ચના ગાળામાં રેવન્યુ 4.4 ટકા ઘટી 100 કરોડ જેટલો રહ્યો હતો. ગામડામાં ધૂપબત્તીનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં કેમિકલ ઘણી વિશાળ માત્રામાં હોય છે અને ઘરમાં તેનો ઉપયોગ કરવો ઠીક નથી.
આ કંપનીઓએ પણ લોન્ચ કરી ઈન્સેન્સ સ્ટિકઃ

GCPL અને JLL બંનેએ માર્કેટ શેરમાં થતો ઘટાડો અટકાવવા ઈન્સેન્સ સ્ટિક બ્રાન્ડ લો્ચ કરી છે. GCPLના મેનેજિંગ ડાયરેક્ટર વિવેક ગંભીરે તાજેતરમાં જ કહ્યું કે એ લોકો ગેરકાયદેસર ધૂપબત્તી બનાવતી ફેક્ટરી બંધ કરાવવા સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. મોસ્કિટો રેપેલન્ટના કારોબાર પર ક્લાઈમેટ ચેન્જની અસર પણ પડી રહી છે. JLLના મેનેજિંગ ડાયરેક્ટર ઉલ્લાસ કામતે ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું, “ગરમી અને ઠંડકમાં વાતાવરણમાં પલટો આવતા મચ્છરોની સંખ્યા ઘટી છે.”જો કે GCPL આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેના એક્સિક્યુટિવ ચેરમેન નિસબા ગોદરેજે જણાવ્યું, “લોકો હજુ પણ મચ્છરોથી પરેશાન છે અને તેનાથી બચવા સમાધાન શોધી રહ્યા છે જેને કારણે ઈન્સેન્સ સ્ટિકનું વેચાણ વધ્યું છે.”
from Page Array – I Am Gujarat http://bit.ly/306gmLQ
No comments:
Post a Comment