Latest

Monday, May 20, 2019

ગુજરાતમાં ભાજપને કઈ બેઠકો હાથમાંથી જવાનો ડર? સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને થશે ફાયદો?

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપને 24-26 બેઠકો મળશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. ભાજપ તરફી માહોલ બનાવવા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પોતે ગાંધીનગરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે 2014નું આ વખતે પણ પુનરાવર્તન થશે કે કેમ તે 23મીએ ખબર પડશે, પરંતુ એક્ઝિટ પોલ્સ આવ્યા બાદ રાજકીય પંડિતો ગુજરાતમાં ભાજપને કઈ બેઠકો ગુમાવવી પડી શકે છે તેમજ સૌરાષ્ટ્રમાં શું થશે તેનું એનાલિસિસ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

2017માં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી કંગાળ દેખાવ કરી 150ના ટાર્ગેટ સામે માત્ર 99 બેઠકો જીતી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપની હાલત સૌથી ખરાબ રહી હતી. જોકે, કોંગ્રેસની એક પછી એક વિકેટો ખેરવી ભાજપે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. તેવામાં આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં શું થશે તે જાણવાની સૌને ઉત્સુકતા છે.

અમરેલી બેઠક પર આ વખતે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણીને અમરેલીમાં ચૂંટણી લડાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો કોંગ્રેસનો પ્લાન હતો. ધાનાણીનો ટ્રેક રેકોર્ડ જોતા તેઓ લોકસભા ચૂંટણી જીતી જાય તો નવાઈ નહીં તેમ રાજકીય પંડિતોનું માનવું છે. કારણકે, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો રહ્યો છે અને ધાનાણી તેને લઈને હંમેશા વાચાળ રહ્યા છે.

સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીના જંગના એંધાણ હતા, પરંતુ એક્ઝિટ પોલના વર્તારાએ કંઈક અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. ત્યારે ખરેખર સૌરાષ્ટ્રમાં ભાજપ કે કોંગ્રેસ કોણ ફાયદામાં રહે છે અને કોણ નુક્સાનમાં તે તો 23મી મેના રોજ જ જાણી શકાશે.

એક્ઝિ પોલ ગુજરાતમાં કોંગ્રેસને 2-3 બેઠકો આપી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની અમરેલી બેઠક સિવાય પાટણ અને આણંદમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત હોવાની ચર્ચા છે. રાજકીય વિશ્લેશકોનું માનીએ તો, આણંદમાં કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકી અને પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોર જીતી જાય તેવી શક્યતા છે. ભાજપનો પોતાનો પણ આંતરિક સરવે આવો જ કંઈક અંદેશો આપતો હોવાનું સૂત્રોનું કહેવું છે.

2014માં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પીએમ મોદીએ વડોદરાને બદલે માત્ર વારાણસી પરથી જ ચૂંટણી લડવાનું નક્કી કરતા ભાજપના રાષ્ટ્રીય સ્તરના કોઈ મોટા નેતાની ગુજરાતમાં ખોટ વર્તાય તેમ હતી. ત્યારે અમિત શાહનું નામ ગાંધીનગર બેઠક માટે જાહેર કરી ભાજપે ફરી 2014 જેવો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WhePmZ

No comments:

Post a Comment

Pages