પૈસાદાર બનવું હોય તો આટલું ધ્યાન રાખો

પૈસાદાર બનવું કોને ના ગમે? રૂપિયા કમાવવા માટે લોકો દિવસ-રાત તનતોડ મહેનત કરતા હોય છે. એક સરખી મહેનત હોવા છતાં કેટલાંક લોકો વધારે કમાણી કરે છે જ્યારે કેટલાંકનું તો ઘર માંડ-માંડ ચાલે છે. નાણાંના મેનેજમેન્ટનો અભાવ ઉપરાંત ધન સાથે જોડાયેલી અમુક બાબતોનું ધ્યાન ન રાખો તો પણ આર્થિક તંગી ઊભી થાય છે. ધન મૂકવાની બાબતો અંગે ધ્યાન રાખશો તો પરેશાની નહીં વેઠવી પડે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રૂપિયા સાથે ન રાખો પેપર

પર્સમાં કે તિજોરીમાં ક્યારેય રૂપિયા સાથે એવા કાગળ કે ડાયરી ન રાખવા જેમાં ઉધારની રકમ કે હિસાબ લખ્યો હોય. આવી ડાયરી અને કાગળને અલગ સ્થાને રાખવા.
ઊંઘતી વખતે અહીં ના રાખો રૂપિયા

વ્યવસાય કરતાં લોકોએ રાત્રે ઘરે આવ્યા બાદ ક્યારેય પેમેન્ટ મળ્યું હોય તેને ઘરના ટેબલ પર ન રાખવું જોઈએ. આ સિવાય ઊંઘતી વખતે રૂપિયા ઓશિકા નીચે કે માથા નીચે ન રાખવા.
પૈસા અને ખોરાક સાથે ન રાખો

કબાટ કે રેકમાં રૂપિયા સાથે કેટલાક લોકો ખાવા-પીવાની વસ્તુ રાખતા હોય છે. જેમકે, ડ્રાયફ્રૂટ, ચોકલેટ વગેરે. એવું ક્યારેય ન કરવું. ધન અને ભોજન સાથે ન રાખવા.
પાન-મસાલા સાથે રૂપિયા ન રાખો

ઘણાં લોકોને આદત હોય છે તેઓ પર્સની અંદર જ પાાન-મસાલો રાખે છે. આમ ન કરવું જોઈએ. પાન-મસાલાને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વની વસ્તુ નથી ગણવામાં આવતી. આવું કરવાથી તમારી આર્થિક ઉન્નતિમાં અવરોધ આવી શકે છે.
થૂંક લગાવીને ન ગણો રૂપિયા

રૂપિયાને ક્યારેય થૂંક લગાવીને ગણવા ન જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સાથે જ આર્થિક તંગી પણ લાવે છે. નોટોમાં મા લક્ષ્મીનો વાસ ગણવામાં આવે છે. ત્યારે થૂંક લગાવીને તેમનું અપમાન ન કરવું જોઈએ.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2E3MExp
No comments:
Post a Comment