Latest

Tuesday, May 14, 2019

હાપુડ રેપ કેસઃ ‘હવે લોકો મારો રેપ નહીં કરે કેમ કે હું આખી સળગી ગઈ છું’

પાંચ-પાંચ વર્ષથી દુષ્કર્મની યાતના વેઠી છેલ્લે હારી ગઈ

હાપૂડઃ ગઈકાલે સામે આવેલી ઉત્તરપ્રદેશના હાપૂડની મહિલાની દર્દનાક ઘટનામાં વધુ હેવાનિયત ભરેલી વિગતો હવે સામે આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી પોતાની સાથે કરવામાં આવતા દુષ્કર્મની ફરિયાદ જ્યારે પોલીસે કે પછી મુખ્યમંત્રી હેલ્પ લાઈન નંબર પર પણ સાંભળવામાં ન આવી ત્યારે તેને પોતાને આગને હવાલે કરવા સિવાય કોઈ રસ્તો દેખાયો નહીં. સમગ્ર ઘટના ગઈકાલે મીડિયામાં આવ્યા બાદ પોલીસે FIR નોંધવાની તસ્દી લીધી હતી. જેની કોપી અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસે છે જેમાં પીડિતાએ જણાવ્યું છે કે પાંચ વર્ષમાં તેની સાથે જુદા જુદા સમયે 16 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે. તેમજ FIRમાં તેના હાલના પતિને પણ આ નરાધમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

દુષ્કર્મની પીડા વેઠવા કરતા બળીને મરી જવું વધુ સહેલું લાગ્યું

વાંરવારના દુષ્કર્મની યાતનાથી બચવા માટે પોતાની જાતને સળગાવી દેનાર સુનીતા(નામ બદલ્યું છે.) ભયાનક દર્દ વચ્ચે તડપતા તડપતા પણ અમારી સાથે થોડી વાત કરી હતી. તેના એક ચહેરાના બાકી રાખીને સમગ્ર શરીર પર પાટા બાંધવામાં આવ્યા છે. તેનું શરીર 75-80 જેટલું બળી ગયું છે. ત્યારે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ સુનિતાના શબ્દો છે ‘કદાચ હું મરી જાત તો વધુ સારું થાત. કોઈ આ પ્રકારની પીડાને સહન કરવા માગતું નથી. પરંતુ હવે જ્યારે હું આટલી સળગી ગઈ છું ત્યારે એક રાહત તો છે કે હવે ફરી મારો રેપ નહીં થાય.’

સાગ પિતાએ ફક્ત 10000 માટે વેચી દીધી

સુનીતાએ હોસ્પિટલમાં અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી. 28 એપ્રિલના સુનિતાએ ઉત્તર પ્રદેશમાં પોતાના એક મિત્રના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરતા પોતાને આગને હવાલે કરી દીધી હતી. ભલભલા ભડવીરના કાળજા કંપાવી નાખનાર પીડા અને દુઃખ ભરેલી આ ઘટનામાં આરોપ છે કે સુનિતાને તેના સગા બાપે જ ફક્ત રુ.10000ની લાલચમાં વેચી દીધી હતી. જે બાદ અનેક લોકોએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને રેપ કર્યો હતો. પોતાના પર આચરવામાં આવેલ દુષ્કર્મની ફરિયાદ લઈને સુનિતા અનેકવાર પોલીસ સ્ટેશન ગઈ હતી પરંતુ ફરિયાદ તો લખવાની વાત દૂર પોલીસે તેની એક વાત સાંભળી નહોતી.

14 વર્ષની ઉંમરે લગ્ન

23 વર્ષની સુનિતાના જીવનમાં ખૂબ નાની ઉંમરથી જ મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હતો. તે કહે છે કે 2009માં મારા પિતાએ 14 વર્ષની વયે જ મારા લગ્ન ઉંમરમાં ખૂબ મોટા વ્યક્તિ સાથે કરાવી દીધા હતા. જેણે થોડા સમય મારા પર અમાનવીય ત્રાસ ગુજાર્યા બાદ મને છોડી દીધી હતી. તેના થોડા સમય બાદ પિતાએ પોતાની પત્ની માટે જરુરી ચીજવસ્તુ ખરીદવા માટે ફક્ત રુ. 10000 માટે મને ગામના જ એક બીજા આધેડને વેચી દીધી હતી.

20 લોકોએ કર્યો રેપ

સુનિતાએ આરોપ મુકતા કહ્યું કે, મારો બીજો પતિ તો રાક્ષસ હતો. તેણે અનેકવાર પોતાના મિત્રો પાસે મારા પર દુષ્કર્મ કરાવ્યું. તે લોકેને પણ ખબર પડી ગઈ હતી કે હું નબળી છું અને મારું શોષણ થઈ શકે છે તો તેઓ વારેઘડીએ મારો રેપ કરતા હતા. અત્યાર સુધીમાં 20 જેટલા પુરુષોએ મારો રેપ કર્યો છે. કેમ કે તે બધાને ખબર હતી કે મારો પતિ તેમના મોજશોખ માટે મને ગમે ત્યારે ઉપલબ્ધ કરાવી શકતો હતો.

ક્યારેય ન્યાય ન મળ્યો

દાઝી જવાની ભયાનક બળતરા વચ્ચે સુનીતા કહે છે કે, ‘મે ન્યાય મેળવવા અનેક પ્રાયસ કર્યા પરંતુ ક્યારેય આશાનું એક કિરણ પણ દેખાયું નહીં. ન તેના પિતાએ ન પોલીસે તેને મદદ કરી.’ આટલું બોલતા જ તેનું ગળું રુંધાઈ ગયું. ગળે ડુમા સાથે તેણે આગળ કહ્યું કે, ‘મે અનેકવાર ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યા પરંતુ પોલીસે મારી એકવાત કાને ધરી નહીં. બસ તેઓ એવું જ કહેતા કે તપાસ ચાલી રહી છે. ઓક્ટોબર 2018થી એપ્રિલ 2019 વચ્ચે હું અનેકવાર ચોરીછૂપે પોલીસ સ્ટેશનના ચક્કર કાપતી રહી પણ કોઈ FIR નોંધવામાં આવી નહીં. છેવટે હું નિરાશ થઈ ગઈ અને જીવનથી હારી ગઈ એટલે મારી જાતને ખતમ કરી નાખવાનો નિર્ણય લીધો’

બીજો પતિ હતો રાક્ષસ

સુનિતાએ કહ્યું કે ‘મારો બીજો મારા પિતાનો જ મિત્ર હતો. તે મારા પર હાથ ઉપાડતો હતો અને જબરજસ્તી કરતો હતો. તેમજ પોતે બીજા મિત્રો પાસેથી રુપિયા ઉછિના લીધા હોવાથી તે ચૂકવવાની જગ્યાએ તેમના ઘરે કામ કરવા માટે મને જબરજસ્તી કરીને મોકલતો હતો પછી ત્યારે આ મિત્રો….. ‘ આટલું બોલીને આગળ એક પણ શબ્દ બોલી શકવા અસમર્થ સુનિતા પોતાનું મોઢું ફેરવી લે છે. જે તેના શરીર અને મન પર રહેલા પીડાના ઘા સૂચવે છે.

મુશ્કેલીમાં એક દોસ્ત બન્યો સહારો

તેની સાથે હોસ્પિટલમાં રહેલા ઋષભ(નામ બદલ્યું છે) તરફ ઈશારો કરીને સુનિતાએ કહ્યું કે, યાતના અને પીડાના આ સમગ્ર સમયમાં બસ આ એક જ વ્યક્તિ તેને સહારો બન્યો હતો. ઋષભે કહ્યું કે, ‘તેના માતા-પિતા, બે ભાઈ અને બહેને તેને છોડી દીધી છે. તેની પાસે એવું કોઈ નથી જેને તે પોતાનું કહી શકે આ સમયે તેને સૌથી વધુ મારી જરુર છે. એક મિત્ર અને એક પાર્ટનર તરીકે હું કોઈપણ સ્થિતિમાં તેને આ રીતે છોડીને જઈ શકું નહીં.’ ઋષભે આરોપ મુક્યો કે, ‘સુનિતાને 3 બાળકો છે. એક પહેલા પતિથી, બીજું બીજા પતિથી અને ત્રીજુ સંતાન આ રેપ કરનાર પૈકી કોઈ એક વ્યક્તિનું છે. આ ત્રણેય સંતાનોને તેના બીજા પતિએ પોતાના કબ્જામાં રાખ્યા છે. જેથી આ સંતાનોને સુનિતા વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કરી શકે.’

મિત્ર લગ્ન માટે તૈયાર

ઋષભે કહ્યું કે, ‘પોતે હાલ સુનિતા આ પીડામાંથી ઉગરી જાય તેની રાહ જોઈ રહ્યો છે. જે બાદ કાયદેસર ડિવોર્સ લઈને તે સુનિતા સાથે લગ્ન કરશે. જોકે FIRમાં કહેવામાં આવ્યું કે બંનેએ પહેલા જ લગ્ન કરી લીધા છે અને 22 એપ્રિલ 2019ના લગ્ન રજિસ્ટર્ડ પણ કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ મુરાદાબાદમાં પોતાના મિત્રના ઘરે સુનિતાએ નરાધમોના સતત ધમકીભર્યા ફોનથી કંટાળીને જીવન ટુંકાવવાનો નિર્ણય કર્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2vWjDzB

No comments:

Post a Comment

Pages