‘લૈલા-મજનૂ’ની એક્ટ્રેસ પર ગંભીર આરોપ

લૈલા-મજનૂ અને અંખિયો કે ઝરોખો સે ફેમ રંજીતા કૌર પર ગંભીર આરોપ લાગ્યો છે. કેટલાક રિપોર્ટમાં એવી વાત સામે આવી છે કે તેણે પતિ સાથે મારઝૂડ કરી તેને ફ્લેટના ચોથા માળેથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. રંજીતા વિરુદ્ધ તેના પતિ રાજ મસંદે પુણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ પરિવારમાં બધુ ઠીક ચાલી રહ્યું હોવાનું આ એક્ટ્રેસનું કહેવું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પતિએ નોંધાવી ફરિયાદ

68 વર્ષીય રાજ મસંદે સીનિયર સિટીઝન હેલ્પલાઈન દ્વારા એક્ટ્રેસ રંજીતા કૌર સામે ફરિયાદ નોંધાવી હતી. પુણે મિરર પ્રમાણે રંજીતા કૌર અને તેના બંને દીકરા સાથે મળીને રાજ મસંદનું શારીરિક રીતે શોષણ કરી રહ્યા હતા.
પતિને મારી નાંખવાનો કર્યો પ્રયાસ!

રાજ મસંદે થોડા દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રંજીતા અને તેના બંને પુત્રએ તેમની સાથે મારઝૂડ કરતા હોવાની તેમજ મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાજે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રંજીતા અને તેના પુત્ર સ્કાઈએ તેને બિલ્ડીંગના ચોથા માળેથી ધક્કો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે પણ ફરિયાદ નોંધી છે.
પુત્રને પૈસા માટે ના પાડતાં થયો ઝઘડો

રિપોર્ટ્સ પ્રમાણે પરિવારમાં વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજ મસંદે દીકરાને પૈસા આપવાની ના પાડી. તેમનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ હાલ બિઝનેસ કરી રહ્યો છે. પુત્રને પૈસા આપવાનો ઈનકાર કરવો રાજ મસંદને ભારે પડ્યો. જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો તેમના પુત્રએ તેમને ધમકી આપવાનું શરૂ કરી દીધું. જ્યારે આ વિશે મીડિયાએ રંજીતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે આ અંગે ઈનકાર કરી દીધો.
એક્ટ્રેસ રંજીતા કૌરે શું કહ્યું?

મામલો આગળ વધતાં હવે રંજીતાનું નિવેદન સામે આવ્યું છે. રંજીતાએ કહ્યું કે દરેક ઘરમાં ઝઘડા થાય છે. મારા પતિ અમેરિકામાં કામ કરે છે. મારો દીકરો પણ તેમની સાથે કામ કરે છે. બસ બિઝનેસના કારણે ઝઘડો થયો, હા વાત એટલી વધી ગઈ કે મારા પતિએ પોલીસની મદદ લીધી.
પરસ્પર સમજૂતીથી મામલો થાળે પાડ્યો

પુણે મિરર પ્રમાણે હવે રાજ મસંદ પણ કહી રહ્યા છે કે આ મામલો બિઝનેસના કારણે થયો હતો. હું આ મુદ્દે ફરિયાદ દાખલ કરવા નહોતો માગતો. પોલીસે અમારૂં કાઉન્સલિંગ કર્યું છે. મામલો હવે થાળે પાડી ગયો છે. આ મામલે પુણેના કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનના પીઆઈ મદન બહાદરપુરેએ કહ્યું કે પરિવારે પરસ્પર સમજૂતીથી મામલાનું સમાધાન લાવી દીધું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Qsmdqo
No comments:
Post a Comment