આજથી શરૂ થઈ યાત્રાઃ

દહેરાદૂનઃ આજે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. તીર્થયાત્રીઓના સ્વાગત માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચારેય તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની સફળ યાત્રા માટે શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, “ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે તીર્થ યાત્રીઓના સ્વાગત માટે તૈયાર છે.” તેમણે એમ પણ જણાવ્યું કે સુરક્ષા અને તીર્થ યાત્રીઓની અન્ય સુવિધાઓની સંભાળ રાખવામાં આવી છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યાઃ

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ આજે ખૂલ્યા હતા જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ મંદિર યાત્રીઓ માટે 9 તથા 10 મેના રોજ ખુલ્લા મૂકવામાં આવશે. કેદારનાથ મંદિર પરિસરની ચારે બાજુ હજુ પણ ભારે બરફ જમા છે પરંતુ મંદિર તરફ જવાના રસ્તે બરફ સાફ ખરાયો છે.
ભારે બરફવર્ષા થઈઃ

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ હતી. સરકારે હાલમાં બરફ સાફ કરવાનું કામ હાથ ધર્યું છે. કેદારનાથમાં યાત્રીઓ માટે બનાવેલી જે કુટિરો બરફવર્ષામાં નષ્ટ થઈ ગઈ છે તેને પણ ફરી ઊભી કરવાનું કામ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભોળેનાથનું કેદારનાથ ધામ 11,755 ફીટની ઊંચાઈએ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2DS9loi
No comments:
Post a Comment