Latest

Tuesday, May 7, 2019

અ’વાદઃ જગન્નાથ મંદિરમાં અખાત્રીજની રથ પૂજા સાથે શરુ થઈ રથયાત્રાની તૈયારીઓ

ભગવાન જગન્નાથના રથની પૂજા

અમદાવાદઃ આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસને ભારતીય શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. આ એજ દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. આ દિવસથી પરંપરાગત જગન્નાથજીની રથયાત્રાનું કાઉન ડાઉન શરુ થઈ જાય છે. આજના દિવસે વિધિવત પુજન અર્ચના કર્યા બાદ રથનું સમારકામ શરુ કરવામાં આવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રથયાત્રાની તૈયારીઓની આજથી શરુઆત

ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રથનું સમારકામ શરુ કરતા પહેલા આજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્ધા, અને મોટાભાઈ બલભદ્રના રથનું પુજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત રથપુજન કરવામાં આવ્યું હતું. આજના દિવસને વણમાગ્યું મૂર્હત કહેવાય છે. જેથી દરેક શુભકાર્યોમાં આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે.

આ છે 142 વર્ષ જૂની પરંપરા


ત્યારે છેલ્લા 142 વર્ષની પરંપરાના ભાગરુપે અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથ યાત્રા પૂર્વે જમાલપુરમાં આવેલ જગન્નાથ મંદિરના ભગવાનના ત્રણેય ઐતિહાસિક રથોને ખાસ રીતે શણગારવામાં આવ્યા હતા. અનેક ભાવિક ભક્તો આ અવસેર જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથ, બલરામ અને શુભદ્રાજીના રથને આસોપાલન અને કેળાના પાનથી શણગારવામાં આવ્યા છે. પરંપરા પ્રમાણે, આજના દિવસે વિશ્વકર્મા ભગવાન પાસે રથના કામ માટે મંજૂરી માંગે છે અને ભગવાનની મંજૂરી મળ્યા બાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવે છે.

રથયાત્રાની તૈયારીની શરુઆત



from Page Array – I Am Gujarat http://bit.ly/2H0TvIS

No comments:

Post a Comment

Pages