Latest

Tuesday, May 14, 2019

HDFCનો Q4 નફો 27% વધ્યો: શેર દીઠ ₹17.50 ડિવિડન્ડ

69318150

નવી દિલ્હી:ટોચની હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCએ ચોથા ક્વાર્ટરમાં 26.8 ટકાની વૃદ્ધિ સાથે ₹2,682 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ₹2,257 કરોડ હતો. સૂચિત ગાળામાં કંપનીની કુલ આવક વધીને ₹11,586.58 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹9,332.36 કરોડ હતી.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીની વ્યાજની ચોખ્ખી આવક 19 ટકા વધીને ₹3,161 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹2,650 કરોડ હતી.

HDFCએ શેર દીઠ ₹17.50નું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉ કંપનીએ 6 માર્ચ 2019ના રોજ શેર દીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આ સાથે વર્ષનું કુલ ડિવિડન્ડ ₹21 થયું છે, જે અગાઉના વર્ષે ₹20 હતું. શેર બીએસઇ પર સોમવારે 1.06 ટકા વધીને ₹1,951.70ના મથાળે બંધ રહ્યો હતો.

કંપની બોર્ડે ₹1.25 લાખ કરોડ સુધીના રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અથવા ઇક્વિટી શેર્સ સિવાયના અન્ય હાઈબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઇશ્યૂને મંજૂરી આપી છે. જેનો ઉપયોગ બિઝનેસની વૃદ્ધિ માટે કરાશે. કંપનીએ 21 જુલાઈ 2019થી સતત બે વર્ષ માટે સ્વતંત્ર ડિરેક્ટર્સ તરીકે નાસીર મુન્જી અને જે જે ઇરાનીની પુન: નિમણૂકને પણ મંજૂર કરી છે.

સમગ્ર નાણાકીય વર્ષ 2018-’19 માટે HDFCનો ચોખ્ખો નફો 12 ટકા ઘટીને ₹9,632.46 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹10,959.34 કરોડ
હતો. કંપનીએ કોન્સોલિડેટેડ ધોરણે ₹17,580.51 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹13,111.21 કરોડ હતો.

31 માર્ચ 2019ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના પરિણામની અગાઉના વર્ષ સાથે તુલના કરવી યોગ્ય નથી. કારણ કે અગાઉના વર્ષે HDFCએ IPO દ્વારા HDFC લાઇફ ઇન્શ્યોરન્સનો હિસ્સો વેચ્યો હતો. 2018-’19માં કંપનીની કુલ આવક વધીને ₹96,194.87 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹79,819.60 કરોડ હતી. કંપનીની વ્યાજની ચોખ્ખી આવક 18 ટકા વધીને ₹11,403 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષે ₹9,635 કરોડ હતી.

HDFCની ગ્રોસ NPA 31 માર્ચ 2019ના રોજ 1.18 ટકા રહી છે. જ્યારે વ્યક્તિગત પોર્ટફોલિયોની નોન-પરફોર્મિંગ લોન 0.7 ટકા અને બિનવ્યક્તિગત પોર્ટફોલિયોની NPA 2.34 ટકા હતી. કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ગયા વર્ષ જેટલું જ 3.3 ટકા છે. કંપનીનો કેપિટલ એડિક્વસી રેશિયો 19.2 ટકાના સ્તરે છે, જેમાં ટિયર-1 મૂડી 17.6 ટકા અને ટિયર-2 મૂડી 1.6 ટકા છે. RBIના નિયમ પ્રમાણે ટિયર-1 માટે 12 ટકા અને ટિયર-2 માટે 6 ટકા કેપિટલ એડિક્વસી રેશિયો જરૂરી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2vV7ScF

No comments:

Post a Comment

Pages