વિરાટના IPL રેકોર્ડની WC પર અસર નહીં થાય : ગાંગુલી

કોલકાતા: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, વિરાટ કોહલીની IPLની કેપ્ટનશિપની વર્લ્ડકપ પર કોઈ અસર નહીં પડે કારણ કે, વન-ડે કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ ખૂબ સારો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલી માટે સૌથી મોટો ફાયદો એ છે કે, તેને બે સફળ કેપ્ટન્સ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPLમાં સતત નિષ્ફળતાથી કોહલીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે પણ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય કેપ્ટનશિપ પૂરી રીતે અલગ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રોહિત-ધોનીનો સપોર્ટ મળશે

ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું, ‘વિરાટ કોહલીની IPL કેપ્ટનશિપ રેકોર્ડની ભારત સાથે તુલના ન કરો. ભારત માટે તેનો કેપ્ટનશિપનો રેકોર્ડ ખૂબ સારો છે. તેની સાથે રોહિત જેવો વાઈસ-કેપ્ટન છે. ધોની ટીમમાં છે. એટલે તેને સારો સપોર્ટ મળશે.’
‘વર્લ્ડકપમાં પંડ્યાની ભૂમિકા રહેશે મહત્વની’

46 વર્ષીય પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે. 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ભારતીય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેણે કહયું, ‘હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા ભજવશે. તે શાનદાર ફોર્મમાં છે. ભારત માટે તે ખૂબ મહત્વનો રહેશે.’
આ ચાર ટીમો સેમીફાઈનલમાં પહોંચશે

પૂર્વ કેપ્ટન ગાંગુલીએ સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોમાં ભારત, ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને પસંદ કરી. તેણે કહ્યું, ‘પાકિસ્તાનનો ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ઉલ્લેખનીય છે. બે વર્ષ પહેલા તેણે ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી હતી. તેણે 2009માં ટી20 વર્લ્ડકપ ટી20 પણ ઈંગ્લેન્ડમાં જીત્યો હતો. પાકિસ્તાન હંમેશાં ઈંગ્લેન્ડમાં સારું રમતું રહ્યું છે.’
‘વિરાટની ટીમને પાકિસ્તાનની ચિંતા જરૂર નથી’

ગાંગુલીએ કહ્યું કે, કોહલીની ટીમને પાકિસ્તાનની ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું, ‘હું રેકોર્ડમાં વિશ્વાસ કરતો નથી. તે દિવસે બંને ટીમોએ સારું પ્રદર્શન કરવું પડશે. ભારતની ટીમ ખૂબ સારી છે. તેને હરાવવી મુશ્કેલ હશે. જે ટીમમાં કોહલી, રોહિત અને શિખર ધવન જેવા પ્લેયર હોય તેને નબળી ન કહી શકાય.’
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2HkpkNZ
No comments:
Post a Comment