નવી દિલ્હીઃ ભાજપના નેતા પ્રિયંકા શર્માને તાત્કાલિક જેલ મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું બંગળ સરકાર દ્વારા પાલન ન કરવાના બાબાતે કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચે મંગળવારે જ શર્માને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. બંગાળ સરકારે કહ્યું કે ઔપચારિકતા પૂરી કરવામાં સમય લાગે છે માટે આજે સવારે 9-40એ તેમને મુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું અમારા આદેશ બાદ પણ ભાજપના નેતાને તાત્કાલિક મુક્ત શા માટે ના કરાયા?
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બંગાળ સરકારની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું, “જામીન આપ્યા પછી પણ પ્રિયંકાને શા માટે તાત્કાલિક મુક્ત કરવામાં ના આવ્યા? અમારો આદેશ સ્પષ્ટ હતો અને તેનું તાત્કાલિક પાલન થવું જોઈએ. જો તેમને તાત્કાલિક મુક્ત ના કરાયા તો તેને અવહેલના માનવામાં આવશે.” તેના પર પ્રિયંકાના વકીલે કહ્યું કે તેમને હજુ સુધી મુક્ત નથી કરાયા. જવાબમાં બંગાળ સરકારે કહ્યું કે શર્માને 9:40 વાગ્યે મુક્ત કરાયા છે. તેના પર કોર્ટે કહ્યું કે જો તેમને તાત્કાલિક મુક્ત ના કરાયા તો અમે અવહેલનાની નોટિસ મોકલીશું.
Priyanka Sharma's counsel NK Kaul says in Supreme Court "Sharma is being released, but before her release she was asked to sign an apology letter prepared by the Police which says she will not post this again" https://t.co/WS9XieopjW
— ANI (@ANI) May 15, 2019
સુપ્રીમ કોર્ટે પ્રિયંકાની ધરપકડ પર પણ સવાલ ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટીએ તો એવું લાગે છે કે પ્રિયંકા શર્માની ધરપકડ ખોટી રીતે કરાઈ છે. કોર્ટે કાલે જામીન માટે આદેશ આપ્યા બાદ ભાજપ નેતાને મમતા બેનર્જીની લેખીતમાં માફી માગવાનો પણ આદેશ કર્યો હતો. જોકે, શર્માના વકીલે કહ્યું કે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે, પણ તેમની પાસે માફીપત્ર પર સહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, પ્રિયંકા શર્માએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મીમ શેર કર્યું હતું જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સામે તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે તેમને જામીન તો આપી દીધા, પણ પ્રિયંકાને માફી માગવા માટેનો પણ નિર્દેશ કર્યો.
from Page Array – I Am Gujarat http://bit.ly/30hGsLP
No comments:
Post a Comment