Latest

Thursday, June 27, 2019

વિરાટ સેના સાવધાન! જતાં-જતાં વેસ્ટ ઈન્ડિઝ બગાડી શકે છે ખેલ

મેન્ચેસ્ટરઃ ભારત વર્લ્ડકપ 2019માં આજે પોતાની છઠ્ઠી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારતની ટક્કર આજે વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગયેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટક્કર થવાની છે. હવે લીગ રાઉન્ડ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે અને એવામાં ભારત એક જીત સાથે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાસે ગુમાવવા માટે કશું નથી માટે તે બાકી મેચોમાં અન્ય ટીમોના પ્લાનને ખરાબ કરી શકે છે.

સેમીફાઈનલની રેસમાંથી વેસ્ટ ઈન્ડિઝ બહાર

પાકિસ્તાન સામે શાનદાર શરુઆત કરવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાં સેમીફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયું છે, પણ ટીમ ટુર્નામેન્ટનો સકારાત્મક અંત કરવા માગે છે. વેસ્ટ ઈન્ડીઝ પછી ભારત યજમાન ઈંગ્લેન્ડ (30 જૂન), બાંગ્લાદેશ (2 જુલાઈ) અને શ્રીલંકા (6 જુલાઈ) સામે થશે. જેમાં ભારત 2 મેચ જીતી લે છે તો સેમીફાઈનલમાં જગ્યા પાક્કી થઈ જશે. ભારતને સેમીફાઈનલમાં પહોંચવા માટે ત્રણ પોઈન્ટની જરુર છે.

કયા ખેલાડીઓ પર રહેશે નજર

ટોપ બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 1,840 રન બનાવ્યા છે જેમાં 7 શતકનો સમાવેશ થાય છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભારત સામેના ટોપ બેટ્સમેનના લિસ્ટમાં ક્રિસ ગેલ છે જેણે 1,241 રન બનાવ્યા છે જેમાં 4 શતક છે. ટોપ બોલરમાં રવિન્દ્ર જાડેજા છે જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 36 વિકેટ લીધી છે જ્યારે ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં બોલિંગમાં પણ ક્રિસ ગેલ છે જેણે 23 વિકેટ લીધી છે. જોકે, હજુ સુધી આ વર્લ્ડકપમાં રવિન્દ્ર જાડેજાને ચાન્સ મળ્યો નથી.

નબળાઈ અને તાકાત શું છે?

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો વિરાટ કોહલી અને ઓપનર રોહિત શર્માનું ફોર્મ રાહત આપે છે. ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બોલર્સ અને ફિલ્ડર્સની ફોજ છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની તાકાત તેના ગેમચેન્જર્સ છે. આંદ્રે સરલની બહાર થવા છતાં ક્રિસ ગેલ, કાર્લોસ, બ્રેથવેટ અને શાઈ હોપ પર નજર રહેશે. જ્યારે બોલિંગ શેલ્ડન કોલરેલની બેટિંગ પણ ઈન્ડિઝને મજબૂતી આપે છે. તે 6 મેચમાં 9 વિકેટ લીધી છે.

શિખર ધવન બહાર થયા પછી ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર ખાસ કરીને નંબર 4નું સંકટ ફરી ઉભું થયું છે. આ નંબર પર વિજય શંકર કે મહેન્દ્રસિંહ ધોનીમાં કોઈ ફીટ નથી બેસી રહ્યું. બન્નેની સ્ટ્રાઈક રેટ 79ની આસપાસ છે. એવામાં ટોપ ત્રણ (કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી) સસ્તામાં આઉટ થયા તો મોટો સ્કોર કરવો મુશ્કેલ બની શકે છે. આવું જ અફઘાનિસ્તાન સામે જોવા મળ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો T20 લીગમાંથી બહાર જ નથી આવી શકતા. તેઓ વનડેમાં પણ T20ની જેમ રમી રહી છે. બોલર્સમાં ટીમ પાસે ના તો સારા પેસર છે કે ના કોઈ સારા સ્પિનર્સ.

શમી, પંતને મળશે જગ્યા?

ફાસ્ટ બોલર્સ ભુવનેશ્વર કુમાર ઘાયલ થયા બાદ અફઘાનિસ્તાન સામે મોહમ્મદ શમીને જગ્યા મળી હતી. મેચમાં હેટ્રિક લઈને તેણે પોતાને સાબિત કર્યો છે. પણ હવે ભુવનેશ્વર ફીટ થઈ ગયો છે. હવે તેને ફરી ટીમમાં જગ્યા મળતી દેખાઈ રહી છે. કોહલી અને કોચ રવિ શાસ્ત્રી અત્યાર સુધી ઋષભ પંતનો ઉપયોગ કરવાને લઈને ઘણાં ઉત્સુક છે. ટીમ મેનેજમેન્ટ જો વિજય શંકરને બહાર કરવાનો નિર્ણય લે તો જ પંતને ટીમમાં જગ્યા મળી શકે છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બેટર લુઈસ અને નિકોલસ જૂરનાને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2FDRcvw

No comments:

Post a Comment

Pages