લુબ્ના કાબલી, મુંબઈઃ ઈનકમ ટેક્સ અપેલટ ટ્રિબ્યૂનલ (ITAT)એ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા એક મામલામાં બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને સૌથી મોટી રાહત આપી છે. આઈટીએટીએ પોતાના નિર્ણયમાં અભિનેત્રીને નાણાકીય વર્ષ 2010-11ની આવકમાં વધારાના 5.4 કરોડ રૂપિયા જોડવાના આવકવેરા વિભાગના નિર્ણયને ફગાવી દીધો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શિલ્પા શેટ્ટીએ નાણાકીય વર્ષ 2010-11 દરમિયાન પોતાની ટેક્સેબલ ઈનકમ 7.6 કરોડ રૂપિયા બતાવી હતી, પરંતુ મૂલ્યાંકન બાદ આવકવેરા વિભાગના અધિકારીઓએ 13 કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું અને બાદમાં એક્ટ્રેસની આવકમાં વધારાના 5.4 કરોડ રૂપિયા ‘ટ્રાન્સફર પ્રાઈઝિંગ’ એડજસ્ટમેન્ટ તરીકે જોડી દીધા.
શિલ્પા શેટ્ટી આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેણે પોતાના રિટર્નમાં પર્સનલ એપિયરન્સ, ફોટોશૂટ્સ અને બીજા પ્રેસ ઈન્ટરવ્યૂથી થનારી આવકને સામેલ નહોતી કરી. આ કારણે આવકવેરા વિભાગના અધિકારીઓએ એક્ટ્રેસની આવકમાં ફેયર પ્રાઈઝ તરીકે 5.4 કરોડ રૂપિયાની વધારાની રકમને સામેલ કરી દીધી હતી.
રાજસ્થાન રોયલ્સની માલિકીનો હક જયપુર આઈપીએલ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ (JICPL)પાસે હતો, જે એક ભારતીય કંપની હતી અને JICPL મોરિશિયસની એક કંપનીની સહાયક કંપની હતી. એક શેર પરચેઝ અગ્રીમેન્ટ અંતર્ગત શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ બહામાસની કંપની દ્વારા મોરિશિયસની કંપનીના શેર ખરીદ્યા હતા.
આવકવેરા વિભાગના અધિકારીઓએ તર્ક લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટી મોરિશિયસની કંપનીના શેરની ન તો ખરીદદાર હતી કે ન તો સેલર. તેમ છતાં તેણે શેર પરચેઝ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ રીતે ટ્રાન્સફર પ્રાઈઝિંગની જોગવાઈઓ અંતર્ગત એક્ટ્રેસ અને મોરિશિયસની કંપનીના રિલેશન રિલેટેડ પાર્ટીનો બને છે,
from Page Array – I Am Gujarat https://ift.tt/2RJr6Mo
No comments:
Post a Comment