શિવ ભક્તો માટે હિમાલયના ખોળામાં વસેલું અમરનાથ અતિ પવિત્ર તીર્થસ્થળ છે. આજથી આ વર્ષની યાત્રાનો પ્રારંભ થયો છે અને પહેલો જથ્થો જવા માટે રવાના થયો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુદરતી રીતે આકાર લેતાં બરફના શિવલિંગના દર્શન કરવા માટે આવે છે. પ્રાકૃતિક હિમથી બનેલા સ્વયંભૂ શિવલિંગને બાબા બર્ફાની પણ કહેવાય છે. માન્યતા છે કે, સાચા દિલથી જે ભક્ત શિવલિંગના દર્શન કરે છે તેને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શંકરે અમરનાથ ગુફામાં પાર્વતી માતાને અમર કથા સંભળાવી હતી. આ ગુફામાં ચોંકાવનારા વાત એ છે કે, શિવલિંગ પાકા બરફનું બનેલું હોય છે જ્યારે નીચે ફેલાયેલો બરફ કાચો હોય છે. કહેવાય છે કે અહીં ભગવાન સાક્ષાત બિરાજે છે. સાથે જ અહીં દેવીનું એક શક્તિપીઠ પણ છે. 51 શક્તિપીઠમાંથી એક મહામાયા શક્તિપીઠ આ ગુફામાં આવેલું છે કારણકે અહીં દેવી સતીનો કંઠ પડ્યો હતો.
અમરનાથમાં ભગવાન શિવના અદ્ભૂત હિમલિંગની સાથે જ માતા સતીનું શક્તિપીઠ હોવું દુર્લભ સંયોગ છે. આવો સંયોગ બીજે ક્યાંય જોવા નહીં મળે. આ ગુફામાં માત્ર શિવલિંગ નહીં માતા પાર્વતી અને ગણેશના રૂપે બે અન્ય હિમલિંગ પણ બનેલા છે. માનવામાં આવે છે કે, આ શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યને મુક્તિ મળે છે.
સામાન્ય રીતે અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ રક્ષાબંધનના દિવસે થશે. કહેવાય છે કે, જે પ્રકારે ચંદ્રમાનો આકાર વધે-ઘટે છે તે જ પ્રકારે શિવલિંગના આકારમાં વધારો-ઘટાડો થાય છે. અમરનાથની આ પવિત્ર ગુફાની શોધ એક મુસ્લિમ ગોવાળે કરી હતી. તેનું નામ બૂટા મલિક હતું. આજે પણ તેના વંશજોને અહીં દાનમાં ચઢાવેલી રકમનો એક ભાગ આપવામાં આવે છે.
જ્યારે ભગવાન શિવ મા પાર્વતીને અમરત્વની કથા સંભળાવવા લઈ જતા હતા ત્યારે રસ્તામાં નાના-નાના નાગને અનંતનાગમાં મૂકી દીધા. પહેલગામમાં નંદીને મૂક્યો. મસ્તિષ્ક પરના ચંદન અને ચંદ્રમાને ચંદનવાડીમાં છોડ્યા. શેષનાગને શેષનાગ નામના સ્થળે મુક્ત કર્યો. કથા પ્રમાણે, જ્યારે ભગવાન શિવ મા પાર્વતીને અમરત્વની કથા સંભળાવતા હતા ત્યારે ત્યાં એક પોપટ અને બે કબૂતરની જોડી પણ હતી. શુક એટલે કે પોપટ બાદમાં ઋષિ શુકદેવ નામે પ્રસિદ્ધ થયા. જ્યારે કબૂતરની જોડી આજે પણ ક્યારેક જોવા મળે છે. જેને શિવ-પાર્વતીનું રૂપ માનવામાં આવે છે.
અમરનાથ યાત્રા માટે બે માર્ગ છે. પહેલો પહેલગામ અને બીજો બાલટાલ. પહેલગામ કે બાલટાલ સુધી બસ થકી પહોંચી શકાય છે. આગળના રસ્તે શ્રદ્ધાળુઓએ ચાલીને જવું પડે છે. પહેલગામ થઈને જતો રસ્તો થોડો સરળ છે એટલે લોકો આ માર્ગ પસંદ કરે છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2xon02E
No comments:
Post a Comment