Latest

Thursday, June 27, 2019

ભારતીય ક્રિકેટ ટીમની કેસરી જર્સી પર વિવાદ, કોંગ્રેસે કહ્યું- ક્રિકેટનું ભગવાકરણ થયું

અમદાવાદઃ ભારત અફઘાનિસ્તાનની મેચ દરમિયાન ભારતીય ટીમ અલગ રંગની જર્સીમાં ઉતરવાની હતી જોકે, આમ ના થયું અને અફઘાનિસ્તાનના પ્લેયર્સે જર્સીનો રંગ બદલી નાખ્યો હતો. બન્ને ટીમો એક જેવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ના ઉતરી શકે તેવા નિયમના કારણે ભારત, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની જર્સીના રંગ એક સરખા હોવાના કારણે ભારતે બે રંગની જર્સી પસંદ કરી છે જેમાં એક વાદળી છે અને બીજી કેસરી રંગની છે. ભારતના રાજકારણમાં ભગવો રંગ એટલે ભાજપનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું અને ટીમ ઈન્ડિયાની જર્સીના રંગ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ સરકાર પર ક્રિકેટના ભગવાકરણનો આરોપ લગાવ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

30મી જૂને ભારત અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા કેસરી રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે જેથી બન્ને ટીમોની જર્સીનો રંગ એક સરખો ના થઈ જાય. આ વિવાદ પર ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અતુલ વાસને વિવાદને કારણ વગરનો ગણાવ્યો છે. મહત્વનું છે કે આવું પહેલી વખત નથી થઈ રહ્યું, ભારતે T20માં પણ આ રંગની જર્સીમાં ટીમ ઈન્ડિયા જોવા મળી હતી. ભારત અને ઈંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની સ્પેશિયલ જર્સી પહેરીને ઉતરશે.

આ જર્સીની ડિઝાઈનમાં કોઈ ખાસ ફરક નહીં હોય પણ તે આગળથી વાદળી જ હશે અને પીઠના ભાગે કેસરી રંગની હશે, તેમ માનવામાં આવી રહ્યું છે. ભારતીય પ્રશંસકો ટીમને બ્લુ રંગની જર્સીમાં જોવા માટે ટેવાયેલા છે માટે આ સ્પેશિયલ રીતે નવી જર્સીને ડિઝાઈન કરાઈ છે જે બન્ને ટીમના પ્લેયર્સને અલગ પાડશે. ICC અને BCCI બન્નેએ જર્સીના રંગ પાછળ રાજકીય હાથ હોવાના વિવાદને ફગાવી દીધો છે અને તેને ડિઝાઈનરનો આઈડિયા ગણાવ્યો છે કે જેથી બન્ને ટીમો એક રંગના કપડામાં ના દેખાય તે રીતે તેની ડિઝાઈન કરાઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YfDeXV

No comments:

Post a Comment

Pages