જય પચીગર, વડોદરાઃ ઈન્શ્યોરન્સ કંપનીઓ તગડા પ્રીમિયમ લઈને ક્લેમ પાસ કરવાનો વારો આવે ત્યારે એક યા બીજું બહાનું શોધી ક્લેઈમ રિજેક્ટ કરવાની તક જ શોધતી હોય છે. આવામાં ગ્રાહક જો ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવે તો કોર્ટ ગ્રાહકની વહારે આવતી હોય છે. વડોદરાના એક ગ્રાહકને તાજેતરમાં જ આવો અનુભવ થયો હતો. વડોદરાના એક વ્યક્તિએ ટ્રીટમેન્ટ દરમિયાન ન્યુરોલોજિસ્ટની મુલાકાત લીધી તો ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીએ એમ કહીને ક્લેઈમ રિજેક્ટ કરી દીધો કે તેમની કંપની માનસિક બીમારી માટે ક્લેઈમ પસાર નથી કરતી. હવે કોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીનો બરાબર કાન આમળ્યો હતો. ગ્રાહક સુરક્ષા કોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીનો ક્લેઈમ રિજેક્ટ કરતા કંપનીએ અલ્પેશ મિસ્ત્રીને રૂ. 30,439 ટ્રીટમેન્ટના ખર્ચ પેટે અને રૂ.3000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મિસ્ત્રી એક સિમેન્ટ કંપનીમાં કામ કરે છે. તેમને જાન્યુઆરી 2015માં એકાએક ચક્કર આવવા અને માથામાં દુઃખાવાની સમસ્યા થઈ હતી. તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પાંચ દિવસ ટ્રીટમેન્ટ ચાલી હતી. દાખલ થયા બાદ મિસ્ત્રીએ કેશલેસ સુવિધા માટે અરજી કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીએ તેમનો ક્લેઈમ રિજેક્ટ કરતા કહ્યું હતું કે તેમની પોલિસી માનસિક બીમારીઓને કવર કરતી નથી. સાઈકોસોમેટિક સમસ્યા એવી સમસ્યા છે જેમાં માનસિક તણાવ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે.
મિસ્ત્રીએ ફરી તેમના દસ્તાવેજ અને ક્લેમની અરજી સબમિટ કરી હતી જે રિજેક્ટ કરવામાં આવી હતી. મિસ્ત્રીએ પછી વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સંપર્ક કર્યો હતો. સુનવણી દરમિયાન ઈન્શ્યોરન્સ કંપનીના વકીલે દલીલ કરી હતી કે સાઈકોસોમેટિક ડિસઓર્ડર કંપનીની પોલિસીમાં આવરી લેવાયો નથી. મિસ્ત્રીના વકીલે મેડિકલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ સબમિટ કરતા દલીલ કરી કે માથાનો દુઃખાવો કે ચક્કર આવવા એક શારીરિક અવસ્થા છે તેને ઈન્શ્યોરન્સ કંપની ગણાવે છે તેમ માનસિક રોગ ન ગણી શકાય.
કોર્ટે મિસ્ત્રીના દસ્તાવેજો અને દલીલ માન્ય રાખી હતી અને ચીંધ્યું હતું કે ઈન્શ્યોરન્સ કંપનીએ તેમની દલીલને ટેકો આપતા કોઈ દાખલા દલીલ સબમિટ ન કર્યા હોવાથી તેમનો પક્ષ માન્ય ન રખાય અને તે ખોટા કારણોસર મિસ્ત્રીનો ક્લેઈમ રિજેક્ટ કરી રહી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2mW4A80
No comments:
Post a Comment