અમદાવાદઃ ગુજરાતના પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મળવા માટે તેમના નિવાસ સ્થાન પર જવાના છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ગાંધીનગર પહોંચ્યા હતા અને તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ગાંધીનગરના રાયસણ ગામમાં રહેતા હિરાબાને મળવા માટે રાષ્ટ્રપતિ કોવિંદ પત્ની સવિતા સાથે જઈ શકે છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબા રાયસણમાં મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. નોંધનીય છે કે, હમણાં પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા ત્યારે માતાના આશિર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા, આ ખાસ દિવસે હીરાબાએ દીકરા માટે જમવાનું પણ તૈયાર કર્યું હતું.
રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પત્ની સવિતા ગાંધીનગરમાં રજભવનમાં રાત્રી રોકાણ કર્યું હતું. મળતી વિગતો મુજબ કોવિંદ હીરાબાને મળ્યા પછી તેઓ કોબામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર જશે. અહીં રાષ્ટ્રપતિ આચાર્ય શ્રી પદ્મસાગર સૂરિજીના આશિર્વાદ લેશે. આરાધના કેન્દ્રના ન્યાસી શ્રીપાલ શાહે જણાવ્યું કે અહીં એક જૈન મંદિર, એક પુસ્તકાલય અને એક સંગ્રહાલય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VMnueJ
No comments:
Post a Comment