Latest

Saturday, October 26, 2019

ગુજરાતમાં રહીને અમતિ શાહે હરિયાણામાં આ રીતે મારી બાજી અને કોંગ્રેસ હાથ ઘસતી રહી ગઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં 24મી ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યા. આ પરિણામમાં બંપર જીતનો દાવો કરનારી ભાજપ કે સત્તામાં પરત આવવાનો દાવો કરતા કોંગ્રેસ કોઈને પણ બહુમત મળ્યો નહીં. ત્યારે રાજ્યમાં ચૂંટણીના થોડા મહિના પહેલા જ બનેલી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ હતી. હવે પ્રશ્ન એ હતો કે જેજેપી કોને પોતાનો ટેકો જાહેર કરશે ભાજપ કે પછી કોંગ્રેસ, પણ એકવાત નક્કી હતી કે હરિયાણામાં હવે ગઠબંધન સરકાર જોવા મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચૂંટણી પહેલા 70 પ્લસ બેઠકોનો દાવો કરનારા ભાજપને 40 સીટો મળી અને તેઓ બહુમતથી ફક્ત 6 જ બેઠક દૂર રહ્યો હતો. જ્યારે પહેલાથી જ હાર ભાળી ગયેલા કોંગ્રેસેને માંડ 31 બેઠકો પર વિજય મળ્યો જોકે રાજ્યમાં તેમના માટે આ બેઠકો કોંગ્રેસની સ્થિતિ સુધરી રહી હોવાનો સ્પષ્ટ સંકેત છે. હવે જેજેપી જે પાર્ટીને સમર્થન આપે તેમની સરકાર રચાય તેવી સ્થિતિમાં જાતીય સમીકરણને લઇ લગભગ એ માનવામાં આવી રહ્યું હતું કે કિંગમેકર પાર્ટી જેજેપી કોઇપણ સ્થિતિમાં ભાજપને સમર્થન આપશે નહીં કારણ કે જેજેપી જાટોની પાર્ટી મનાય છે. જ્યારે ભાજપ બિનજાટ રાજનીતિ કરે છે.

ત્યારે એવું મનાઇ રહ્યું હતું કે કોંગ્રેસના હુડ્ડા જેજેપી અને કેટલાંય અપક્ષ ધારાસભ્યોનું સમર્થનને લઇ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવી શકે છે. આમ કોંગ્રેસ માટે બધું બરાબર હતું, પરંતુ બાજી મારી ગયા અમિત શાહ.

આ બધાની વચ્ચે ભાજપના ચાણક્ય અને કુશળ રણનીતિકાર કહેવાતાઅમિત શાહે એવો દાવ ખેલ્યો કે કોંગ્રેસ જોતી રહી ગઈ અને ભાજપ ફરી સત્તામાં આવવાનો રોડમેપ તૈયાર થઈ ગયો. કહેવાય છે કે ચૂંટણી પરિણામોની વચ્ચે જ અમિત શાહે જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલાનો સંપર્ક કર્યો. જો કે ત્યારે ભુપેન્દર સિંહ હુડ્ડાએ પણ તમામ પાર્ટીઓને એક થઇ સરકાર બનાવાની ઓફર આપી. સાથો સાથ એવા પણ સમાચાર આવ્યા કે હુડ્ડાની જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા સાથે બે દિવસ પહેલેથી વાત ચાલી રહી હતી. ત્યારબાદ એવું લાગ્યું હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે.

તેવા સમયે ભાજપે હરિયાણામાં સૌથી મોટી પાર્ટી હોવાની સાથે સરકાર બનાવાનો દાવો રજૂ કરી દીધો. હવે પ્રશ્ન એ હતો કે જેજેપી ભાજપની સાથે આવશે કે નહીં તેમજ ભાજપ તરફે કયા-કયા અપક્ષ ઉમેદવાર હશે. બીજીબાજુ ચૂંટણી પરિણામમાં પોતાની મજબૂત સ્થિતિ જોતા કોંગ્રેસ ગેલમાં રહી અને આ બાજુ અમિત શાહ એકશન મોડમાં આવી ગયા હતા.

ચૂંટણી પરિણામો બાદ મોડી રાત્રે અમિત શાહની ઘરે બેઠક થઇ અને કેટલાંય અપક્ષ ઉમેદવારો ભાજપની સાથે જવા માટે હામી પણ ભરી દીધી. જે બાદ 25મી ઓક્ટોબરના રોજ બધાને ચોંકાવીને અમિત શાહ આખરે જેજેપીને પોતાના પલડામાં લાવવામાં સફળ રહ્યા હતા. એક વખત ફરીથી અમિત શાહ બાજી મારી લઇ ગયા અને કોંગ્રેસ એ ગુમાનમાં જ રહી ગઈ કે તેઓ હરિયાણામાં સરકાર બનાવી લેશે.

હરિયાણાની બાજી સંભાળતા અમિત શાહે 24 કલાકની અંદર જ બહુમતીનો આંકડો મેળવી લીધો અને કોંગ્રેસ જોતી રહી ગઇ. ભાજપે જેજેપીના ચૌટાલાને ડે. સીએમ પદની ઓફર કરી છે. હવે જ્યારે ભાજપે હરિયાણામાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે તો આજે મનોહર લાલ ખટ્ટર રાજ્યપાલને મળી સરકાર બનાવાનો દાવો રજૂ કરશે. તો એવું મનાઇ રહ્યું છે કે આજે મનોહર લાલ ખટ્ટર ચંદીગઢમાં મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે, જેથી કરીને સરકાર બનાવાને લઇ બીજી પાર્ટીઓના પ્રયાસો પર પૂર્ણ વિરામ મૂકાઇ જાય અને મંત્રીઓને દિવાળી બાદ શપથ લેવડાવવામાં આવશે.

આપને જણાવી દઇએ કે હરિયાણાની 90 બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં 40 ભાજપને, 31 કોંગ્રેસને, 10 જેજેપી અને 9 બેઠક અપક્ષ ઉમેદવારોએ જીતી છે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/344rAlg

No comments:

Post a Comment

Pages