દિવાળીના આગલા દિવસે કાળીચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાન જયંતી મનાવવાની પરંપરા છે. બજરંગબલી હનુમાનજીની સુનિશ્ચિત જન્મતિથિનો ઉલ્લેખ નથી. એટલે જ વર્ષમાં બે વખત હનુમાન જયંતી મનાવવામાં આવે છે. એક ચૈત્ર મહિનાની પૂનમે બીજી કાળીચૌદશના દિવસે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કાળીચૌદશને ખાસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા સૌના પર રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
તિજોરીમાં મૂકો આ વસ્તુ
હનુમાન જયંતીના દિવસે સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ પર સ્વસ્તિક બનાવો અને પૂજા કરો. પૂજા કર્યા બાદ આ કાગળ તિજોરી અથવા જ્યાં ધન રાખો છો ત્યાં મૂકો. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
દીવો કરો
હનુમાનજીની આગળ ચમેલીના તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી મંગળ દોષ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલે છે. સાથે જ ગરીબોને ભોજન કરાવો અને જરૂરી વસ્તુઓનું દાન કરો.
11 માળા કરો
સવારે સ્નાન કર્યા બાદ પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરીને પ્રગટાવો. પૂર્વ દિશા તરફ મોં રાખીને રામ નામના જાપ કરો. આ દિશામાં બેસીને ઓછામાં ઓછી 11 વાર રામ નામની માળા કરો.
પરેશાની દૂર કરવાનો ઉપાય
હનુમાનજીના મંદિરે લાલ રંગની ધજા ચડાવો અને હનુમાનજીને સિંદૂરી ધોતી અર્પણ કરો. આ ઉપાયથી તમારા ઘરે આવનારી મુશ્કેલીઓ દૂર ભાગશે. આ દિવસે કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવાથી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે.
ધનલાભ માટે આશીર્વાદ માગો
ધન પ્રાપ્તિ ઈચ્છતા હો તો આ દિવસે પીપળાના 11 પાન લઈને મંદિર જાવ અને તેના પર લાલ ચંદનથી શ્રીરામ લખો. આ પાનની માળા હનુમાનજીને ચઢાવો અને ધનલાભ માટે આશીર્વાદ માગો.
તણાવ દૂર થશે
માનસિક તણાવ દૂર કરવા માટે હનુમાન જંયતી પર શ્રીરામચરિત માનસ અથવા શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આનાથી તમારા તણાવ દૂર થશે અને સકારાત્મક ઉર્જા તમારી આસપાસ રહેશે. તમારા બગડેલા કામ બની જશે.
ગુલાબની માળા ચઢાવો
નોકરીની સમસ્યા દૂર કરવા માટે નાગરવેલના પાન પર બુંદીના બે લાડુ અને એક લવિંગ મૂકો. તેના પર ચાંદીની ભસ્મ લગાવીને હનુમાનજીને ચઢાવી દો. સાથે જ એક ગુલાબની માળા હનુમાનજીને ચઢાવો. આ ઉપાયથી નોકરી સંબંધિત સમસ્યા દૂર થશે.
આ છ કામ તો માત્ર હનુમાનજી જ કરી શકે
from Page Array – I Am Gujarat https://ift.tt/2MMolJo
No comments:
Post a Comment