Latest

Sunday, October 27, 2019

દિવાળીના દિવસે મનોહર લાલ ખટ્ટર શપથ ગ્રહણ કરશે, આ ચહેરા બની શકે છે મંત્રી

ચંદીગઢઃ દિવાળી પર હરિયાણામાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે. ભાજપ ફરી એકવાર હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં સરકાર બનાવશે. શનિવારે ખટ્ટરે જણાવ્યું કે જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા અને 6 વખત ધારાસભ્ય બનેલા અનિલ વિજ, બનવારી લાલ, સીમા ત્રિખા અને જેજપીના રામ કુમાર ગૌતમ અને ઈશ્વરસિંહની નવી સરકારમાં મંત્રી પદની જવાબદારી મળી શકે છે. પાર્ટી સૂત્રો મુજબ, ભાજપ નેતૃત્વવાળી સરકારને સમર્થન આપી રહેલા 7 અપક્ષમાં દેવી લાલના દીકરા રંજીત સિંહ ચૌટાલા મંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.

બપોરે 2.15 વાગ્યે યોજાશે શપથ સમારોહ

ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયેલા ખટ્ટરે જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ હરિયાણા રાજ ભવનમાં રવિવારે બપોરે 2.15 મિનિટ પર શરુ થશે. મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હશે, જોકે, તેમણે મંત્રી પદ માટેના નામોનો ખુલાસો નથી કર્યો.



from Page Array – I Am Gujarat https://ift.tt/368daCq

No comments:

Post a Comment

Pages