Latest

Thursday, November 21, 2019

2002 કોમી રમખાણઃ 2007-2011 દરમિયાન પીડિતોને ચૂકવાયું ₹429 કરોડનું વળતર

કપિલ દવે, ગાંધીનગરઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણનો ભોગ બનેલા પીડિતોને કુલ 429.46 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાની માહિતી કેન્દ્ર સરકારે લેખિતમાં રાજ્ય સભામાં આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સાંસદ હુસૈન દલવી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી, જેઓ જાણવા માગતા હતા કે શું તે વાતમાં તથ્ય છે કે 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણ દરમિયાન 2 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક કેસ એવા હતા જેને બ્લોક કરી દેવાયા હતા તો કેટલાક કેસ એવા હતા જેને બંધ જ કરી દેવાયા હતા અને જ્યારે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં દરમિયાનગીરી કરી તો થોડા કેસને રિઓપન કરાયા અને તેને કોર્ટની દેખરેખવાળી વિશેષ તપાસ ટીમો હેઠળ રાખવામાં આવ્યા હતા.

શું સરકારે ગુજરાતમાં થયેલા કોમી રમખાણના કેસોને ફરીથી ખોલવા અંગે વિચાર્યું છે કે કેમ તે અંગેની માહિતી પણ સાંસદે માગી હતી. સાથે જ રમખાણ દરમિયાન મૃત્યુ પામેલા લોકોની સંખ્યા, રમખાણ દરમિયાન મહિલા પર થયેલા અત્યાચાર તેમજ પીડિતો અને તેમના પરિવારને આપેલા વળતર અને પુનર્વસવાટની વિગતો પણ માગી હતી.

આ તમામ પ્રશ્નોનો જવાબ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ લેખિતમાં આપ્યો હતો અને કહ્યું હતું કે જાહેર વ્યવસ્થા અને પોલીસ એ રાજ્યનો વિષય છે.

‘કોમી રમખાણોનો ઉકેલ, ગુનાઓની તપાસ અને ફરિયાદ, પીડિતોને રાહત, વળતર અને પુનર્વસવાટ પૂરું પાડવું અને આ સંદર્ભે સંબંધિત ડેટા જાળવવા સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટેની સંપૂર્ણ જવાબદારી જે-તે રાજ્યના સરકારની હોય છે અને આ કેસમાં ગુજરાત સરકારની છે’, તેમ મંત્રીએ જવાબ આપ્યો.

પોતાના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, 22મી માર્ચ, 2007ના રોજ કેન્દ્ર સરકારે 2002માં થયેલા કોમી રમખાણના પીડિતોને વળતર અને પુનર્વસવાટ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી. ‘ગુજરાત સરકારને 2007 અને 2011 દરમિયાન પાંચ હપ્તામાં કુલ 429.46 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી’, તેમ મંત્રીએ કહ્યું.

કોલકાતાઃ….અને બિલ્ડિંગમાંથી થવા લાગ્યો નોટોનો વરસાદ 



from Page Array – I Am Gujarat https://ift.tt/337pcJB

No comments:

Post a Comment

Pages