અમદાવાદઃ શહેરભરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરીને દબાણ હટાવવા માટે કોર્પોરેશન દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે રાયપુર ચકલા ખાતે કોર્પોરેશનની ટીમ દ્વારા આવા જ ગેરકાયદે બાંધકામને દૂર કરતા સમયે જમીનમાંથી 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી છે. આ મસ્જિદ વર્ષોથી ગેરકાયદે બંધાયેલી દુકાનો પાછળ છુપાઈ ગઈ હતી. યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટીનો તાજ મેળવાયેલા અમદાવાદ શહેરમાંથી 16મી નવેમ્બરે સલ્તનત કાળ દરમિયાનની બાઈ જીતબાઈની મસ્જિદ મળી આવી.
આ મસ્જિદને તે સમયે અમદાવાદમાં બહુસાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિક છે. મસ્જિદને હિન્દુ રાણીએ બંધાવી હતી. સ્થાનિક રહિશોને મસ્જિદમાં છેલ્લીવાર નમાજ ક્યારે પઢવામાં આવી તે યાદ નથી. જોકે તેમ છતાં કોર્પોરેશનને સારી રીતે સંગ્રહિત થયેલી મસ્જિદ મળી હતી. મસ્જિદના બે મિનારા નુકસાનગ્રસ્ત થઈ ચૂક્યા છે. દાયદાઓ પહેલા જ મસ્જિદની ફરતે ઈંટોની દિવાલ બનાવી દેવામાં આવી હતી. જેથી તેને પ્રોટેક્શન મળી રહે. તેમ છતાં મસ્જિદનો હોલ અને ટાંકી હજુ અકબંધ છે. મસ્જિદના ખુલ્લા પ્લોટમાં દબાણ કરીને ગેરકાયદે બાંધકામ બાંધી દેવામાં આવ્યું હતું.
મસ્જિદ વિશે વાત કરતા સ્થાનિક પ્રો. મોહિનુદ્દીન બોમ્બેવાલા કહે છે, મારા 88 વર્ષના જીવનમાં મેં ક્યારેય મસ્જિદમાં નમાજ પઢતા કોઈને જોયા નથી. કેટલાક સ્થાનિકો તેને બાઈ જીતબાઈની દરગાહ હોવાનું જણાવતા. તેઓ રાણી રૂપમતી, રાણી સીપ્રિ અને બાઈ હરિર સાથે અમદાવાદ શહેરમાં મસ્જિદ બંધાવનારા પાંચમા રાણી હતા.
ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાતા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ સુન્ની વકફ બોર્ડને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ બોર્ડના પ્રેસિડેન્ટ રિઝવાન કાદરીએ કહ્યું કે, બાઈ જીતબાઈની મસ્જિદ અને તેની પાસેનો ખુલ્લો પ્લોટ વકફ બોર્ડની માલિકીનો છે. વકફ બોર્ડે મસ્જિદની ફરતે દિવાલ બનાવી હતી અને તેનું પ્રોટેક્શન કરી રહ્યું છે. પરંતુ હકીકતમાં સ્થાનિક લોકો જ દરગાહની વધારે દેખરેખ કરતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ODVFBR
No comments:
Post a Comment