Latest

Monday, December 16, 2019

વાહનોની ખરીદી મોકૂફ રાખી રહ્યા છે ગુજરાતીઓ, નવેમ્બરમાં વેચાણ 22% ઘટ્યું

નિયતિ પરીખ અને હિમાંશુ કૌશિક, અમદાવાદ: ઘટતી માગ અને આવતા વર્ષે એપ્રિલ મહિનાથી BS-VI ઉત્સર્જનના ધોરણો મુજબના વાહનો જરૂરી બનશે એવામાં લોકો મૂંઝવણમાં છે. જેના કારણે વાહનોનું વેચાણ ઘટ્યું છે. ગુજરાતમાં નવેમ્બર 2019માં પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 22 ટકા ઘટ્યું છે. નવેમ્બર 2018માં પેસેન્જર વાહનોનું વેચાણ 29,909 હતું જે આ વર્ષે નવેમ્બરમાં ઘટીને 23,427 થયું. આ માહિતી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિએશન (FADA) દ્વારા પૂરી પાડવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ જ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. આખા રાજ્યમાં નવેમ્બર 2018માં 1.4 લાખ ટુ-વ્હીલરની નોંધણી થઈ હતી. જે આ વર્ષે નવેમ્બર મહિનામાં ઘટીને 1.09 લાખ ટુ-વ્હીલરની નોંધણી થઈ. મતલબ કે, એક વર્ષમાં ટુ-વ્હીલરના વેચાણમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો. દેશના ટુ-વ્હીલર સેગમેન્ટમાં રજિસ્ટ્રેશનની દ્રષ્ટિએ સૌથી ઓછા ટુ-વ્હીલર જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ, દિલ્હી અને ગોવામાં નોંધાયા હતા. ત્યારબાદ પાંચમા ક્રમે ગુજરાત આવે છે.

ગુજરાતના FADAના ડિરેક્ટર પ્રણવ શાહે વેચાણ ઘટવાનું કારણ આપતા કહ્યું, “દિવાળીની સીઝન પછી વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો વાહનો ખરીદવાનું મોકૂફ રાખી રહ્યા છે જેના કારણે સંતોષજનક ખરીદીને ફટકો વાગ્યો છે. ભારે ડિસ્કાઉન્ટની ઓફર ઘણા મોડલ પર આપવામાં આવી તેમ છતાં ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા.”

ઓટોમોબાઈલ સેક્ટરની માગ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘટી છે, તેવું નિષ્ણાતોનું કહેવું છે. FADAના વરિષ્ઠ સભ્યએ કહ્યું, “અગાઉ જ્યારે સારો અને પૂરતો વરસાદ થતો ત્યારે વેચાણ વધવાની આશા રહેતી હતી. જો કે, લંબાયેલા ચોમાસાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વાહનોનું વેચાણ નિરાશાજનક રહ્યું હતું. ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં વેચાણ વધશે તેવું લાગતું નથી. જો કે, હવે જે પાક ઉતરશે તે પછીના સમયમાં વેચાણમાં સહેજ વધારો થાય તેવી સંભાવના છે.”

પેસેન્જર વાહનોની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નીચા રજિસ્ટ્રેશનમાં જમ્મુ-કાશ્મીર અને ચંડીગઢ પછી ગુજરાતનો ક્રમ આવે છે. નામ ન આપવાની શરતે એક કાર ડીલરે કહ્યું, “BS-VI વાહનો અંગેની મૂંઝવણની સાથે ગ્રાહકોની સંતુષ્ટિ પણ વાહનોના વેચાણમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. લોકો ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અને રૂપિયા બચાવી રહ્યા છે. અર્થશાસ્ત્રની કથળતી સ્થિતિ તેનું કારણ છે. મધ્યમ અને લઘુ ઉદ્યોગો ઉપરાંત મોટાભાગના સેક્ટરમાં વેપાર ઓછો થયો છે. જે ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર કરી રહ્યો છે.”

નાગરિકતા કાયદા વિશે પીએમ મોદીએ શું કહ્યું સાંભળો



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/34ulNoZ

No comments:

Post a Comment

Pages