Latest

Sunday, December 29, 2019

કોંગ્રેસે મોદી સરકારની તુલના બ્રિટિશ શાસકો સાથે કરી, ફરી આઝાદીની લડતનું આહ્વાન કર્યુ

શનિવારે કોંગ્રેસનો સ્થાપના દિવસ હતો. આ દિવસે ગુજરાત કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે મોદી સરકારની સરખામણી બ્રિટિશ શાસકો સાથે કરી હતી. સાથે ભાજપના નેતૃત્વનો અંત લાવવા ‘બીજી આઝાદી ચળવળ’ શરૂ કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. સાથે જ કોંગ્રેસ નેતાઓએ આહ્વાન કર્યું હતું કે, ગાંધીજીના સપનાનું ભારત બનાવવા માટે પરિવર્તન લાવવાની જરૂર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી ઉસ્માનપુરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના બાવલા સુધીની ફ્લેગ માર્ચ યોજી હતી. ‘બંધારણ બચાવો’ના નારા સાથે સ્થાપના દિવસ પર કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને હજારો કાર્યકરોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના ગુજરાતના ઈન-ચાર્જ રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.

રેલી પહેલા કાર્યકરોને સંબોધતા રાજીવ સાતવે કહ્યું, “કેંદ્રમાં છ વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપના શાસનામાં દેશ અધોગતિ કરી રહ્યો છે. મંદ અર્થતંત્ર, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા વગેરે જેવા લોકોના પ્રશ્નોના જવાબ વડાપ્રધાન મોદી આપતા નથી. કોંગ્રેસના સ્થાપના દિવસે આપણે આઝાદીની બીજી ચળવળ શરૂ કરવાની પ્રતિજ્ઞા કરીએ. બાપુ (ગાંધીજી)ના સપનાનું ભારત બનાવવા માટે કામ કરીએ.”

રાજીવ સાતવે કોંગ્રેસ સરકારના વખાણ કરતાં કહ્યું, “સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી ખેડૂતોની લોન માફ કરવાનું વચન પૂરું કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ પોતાના રાજકીય સહાયકારી શિવસેનાને સાચવી ના શકી. મહારાષ્ટ્રમાં પણ અમે ખેડૂતોની 2 લાખની લોન માફ કરી છે.”

રાજીવ સાતવે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જૂઠ્ઠાણાં ફેલાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. સાતવે કહ્યું, “જૂઠ્ઠાણાં ફેલાવવાની વાત આવે ત્યારે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને કોઈ પહોંચી ના શકે. આજે આપણે જૂઠ્ઠાણાં ફેલાવતા લોકોથી દેશને બચાવવાની પ્રતિજ્ઞા કરીએ.”

અમિત ચાવડાએ મોદી સરકાર પર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો તેમજ લોકશાહીના નામે દેશના ભાગલા પાડવાનો આરોપ મૂક્યો છે. ઉપરાંત નાગરિકોના બંધારણીય હકો કચડી નાખ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ચાવડાએ કહ્યું, “કોંગ્રેસે સત્તા પર રહીને તેમજ વિરોધ પક્ષમાં રહીને પણ કામ કર્યું છે. જ્યારે પણ દેશની એકતાની વાત આવે ત્યારે પાર્ટીએ રાજકીય વિચારધારા છોડીને તેને મહત્વ આપ્યું છે. દેશમાં આજકાલ જે થઈ રહ્યું છે તે બ્રિટિશ રાજમાં પણ થયું હતું. હિંસા અને અન્યાય તળે લોકોના અવાજ દબાવી દેવામાં આવ્યા છે. હવે સમય પાકી ગયો છે કે કોંગ્રેસ આઝાદીની બીજી ચળવળની શરૂઆત કરે.”

ચાવડાએ આગળ કહ્યું, “સત્તારૂઢ પક્ષ લોકોનો અવાજ દબાવી દેવા કાયદા લાવી રહ્યો છે. કોમના નામે રાજકારણ રમવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકરો નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) અને બંધારણ બચાવવા માટે અવાજ ઉઠાવશે.” નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું, “કોંગ્રેસના કાર્યકરોએ દેશના બંધારણને બચાવવા માટે પ્રતિજ્ઞા લેવી પડશે.”

સીએમ યોગીએ વારાણસીમાં દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ



from Page Array – I Am Gujarat https://ift.tt/2MDkZIh

No comments:

Post a Comment

Pages