Latest

Friday, December 20, 2019

જૂનાગઢ: એક જ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત

રાજકોટ: ગુરુવારે આપઘાતની બે વિચિત્ર ઘટના સામે આવી છે. માંગરોળ મરિન પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ કથિત રીતે એક જ પ્રકારે આત્મહત્યા કરી છે. પહેલા કેસની વાત કરીએ તો, 51 વર્ષીય આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સાદિક ખાન નાગોરીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી. ગુરુવારે સવારે જૂનાગઢ બાયપાસ પાસે આવેલા વિર્ધાનગરમાં પોતાના ઘરે સાદિક ખાન નાગોરીએ આત્મહત્યા કરી હતી. કથિત રીતે નાગોરીએ પોતાના દીકરાને છેડતીના કેસમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે બે મહિનાથી તેમને સસ્પેન્ડ કરાયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

જૂનાગઢના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, “નાગોરીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા હતા. જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. નાગોરીના દીકરાએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને સસ્પેન્ડ કરાયા ત્યારથી ડિપ્રેશનમાં હતા.”

બીજા કેસમાં આ જ પોલીસ સ્ટેશનના 31 વર્ષીય કોન્સ્ટેબલ જયદીપ પરમારે જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો. જયદીપ પરમારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામમાં પોતાના ખેતરમાં આત્મહત્યા કરી હતી. કેશોદમા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ જે. બી. ગઢવીએ જણાવ્યું, “પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોન્સ્ટેબલ પરમારના પિતા કોમામાં સરી પડ્યા ત્યારથી તે ડિપ્રેશનમાં હતો. આ ઉપરાંત કેટલાક પારિવારક કારણો પણ હશે જેના લીધે તેણે અંતિમ પગલું ભર્યું. કોન્સ્ટેબલને કેશોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં થોડી જ વારમાં તેનું મોત થયું હતું.”

પોલીસ ઈન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડે અમારા સહયોગી અખબાર TOIને જણાવ્યું, “કોન્સ્ટેબલ પરમારના પિતા છેલ્લા બે મહિનાથી બીમાર હોવા છતાં તે ફરજ પર ખંતથી કામ કરતો હતો. તેણે અમને પિતાની માંદગી વિશે જાણ કરી હતી. જો કે, ક્યારેય તેણે બિનજરૂરી રજા નહોતી લીધી.” સાદિક ખાન નાગોરી માંગરોળ મરિન પોલીસ સ્ટેશનમાં 2017ના અંતમાં જોડાયા હતા. જ્યારે જયદીપ પરમાર જુલાઈ 2018થી કાર્યરત હતા.

ગુજરાતમાં પાકિસ્તાની મહિલાને મળી નાગરિકતા



from Page Array – I Am Gujarat https://ift.tt/2EDT3Q4

No comments:

Post a Comment

Pages