અમદાવાદઃ શહેર પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અને ગુનાથી પોતાને દૂર રાખવા માટે કેટલીટ ટિપ્સ આપી છે પરંતુ તેમાં સ્પષ્ટ રીતે અમુક વર્ગની સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. પોલીસની સલાહ મુજબ નાગરિકોએ પોતાના ઘરે કામ કરતા નોકરનો પગારને અટકાવવો ન જોઈએ. તમારો આ નિર્ણય પ્રામાણિક રીતે ખોટો છે એટલા માટે નહીં પરંતુ પોલીસ મુજબ આમ કરવાથી નોકર તમારી પાસેથી બદલો લઈ શકે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શહેર પોલીસની વેબસાઈટ પર શહેરીજનોની સેફ્ટી માટે 25 જેટલા પોઈન્ટ્સની ટિપ્સ આપેલી છે. જેમાંથી કેટલાક ઘરેલુ મદદ માટેના છે. તેમાંથી એક સેફ્ટી ટિપમાં લખેલું છે, ‘ઘરઘાટીનો પગાર ન અટકાવો અથવા તેમની સાથે ખરાબ વર્તન ન કરવું. તેઓ બદલો લઈ શકે છે.’
આ ટિપ્સમાં એમ પણ લખ્યું છે કે, ‘ઘરઘાટી સામે મોંઘી વસ્તુઓ મૂકેલી હોય તેવો કબાટ ન ખોલવો અને તેમની સામે પૈસાની વાત ન કરવી. આમ કરવાથી તેઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે લલચાઈ શકે છે.’
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી 2017માં નારણપુરા વિસ્તારમાં એક ઘરઘાટીએ 75 વર્ષની વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કરી હતી જેના પરથી આ ટિપ્સ આપવામાં આવી છે. જે બાદ પોલીસે આ પ્રકારના બનાવોને અટકાવવા સ્થાનિકોની મદદથી ઘરઘાટીની નોંધણી માટેની ઝુંબેશ શરૂ કરી.
ઘરઘાટી ઉપરાંત પોલીસે શાકવાળો, લોન્ડ્રી મેન અને દૂધવાળાથી પણ સેફ્ટી માટેની ટિપ્સ આપી છે. આ ટિપ્સ મુજબ, ઘરમાં છુપાવવાની જગ્યા કે દરવાજા પર લોખંડની ગ્રિલ લગાવી રાખો જેથી મુશ્કેલી સમયે પોતાને મદદ કરી શકો. શાકવાળો, લોન્ડ્રી મેન કે દૂધવાળા જેવા અજાણ્યા વ્યક્તિને ઘરમાં બોલાવતા પહેલા વધારે સાવધાન રહો.
પોલીસે કેટલીક લાઈફ ટિપ્સ પણ આપી છે. પોલીસ મુજબ, મિત્રોનું એક સર્કલ બનાવો અને પાડોશીઓ સાથે પણ વાત કરવાનું રાખો. તમારા ગ્રુપની સાથે રેગ્યુલર ચાલવા માટે જાઓ.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QSZF2t
No comments:
Post a Comment