‘ધરતીના સ્વર્ગ’ કહેવાતા સુંદર કાશ્મીર માટે IRCTC શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ 8 દિવસની ટૂરમાં શ્રીનગરની સુંદર ઘાટીઓ સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવાની પણ તક મળશે. ખાસ વાત એ છે કે આ પેકેજની કિંમત પોકેટ ફ્રેન્ડલી રાખવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
IRCTCની વેબસાઈટ પર ઉપસ્થિત જાણકારી મુજબ, મે 2019થી શરૂ થયેલું આ પેકેજ એપ્રિલ 2020 સુધી ચાલુ રહેવાનું છે. આ સમયમાં ક્યારેય પણ બુકિંગ કરાવી શકો છો. સિંગલ પર્સન માટે આ પેકેજની કિંમત 17,850 રૂપિયા હશે જ્યારે બે લોકો માટે પ્રતિ વ્યક્તિ 17,720 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. જો સાથે નાનું બાળક હોય અને અલગથી બેડની વ્યવસ્થા જોઈએ તો તેના માટે 6190 રૂપિયા આપવાના રહેશે.
8 દિવસની હશે ટ્રિપ
આ ટ્રિપ કુલ 8 દિવસની હશે, જેમાં પહેલા દિવસે શ્રીનગર એરપોર્ટથી પિકઅપની વ્યવસ્થા આપવામાં આવશે. અહીંથી સૌથી પહેલા તમને બુક કરેલી હોટલમાં લઈ જવાશે. પહેલા અને બીજા દિવસ સુધી અહીં ફર્યા બાદ ત્રીજા દિવસે ગુલમર્ગ લઈ જવાશે. અહીં મુસાફર ઈચ્છે તો પાતાના ખર્ચે ટ્રેકિંગ પર જઈ શકે છે. ચોથા દિવસે સોનમર્ગ અને પાંચમા દિવસે પહલગામ લઈ જવાશે. છઠ્ઠા દિવસે મુસાફરોને રોડ માર્ગથી કટરા લઈ જવાશે. સાતમા દિવસે વૈષ્ણો દેવી મંદિર અને આઠમા દિવસે સવારે નાસ્તા સાથે જમ્મુ-અરપોર્ટ ડ્રોપ કરવામાં આવશે.
આ પેકેજમાં યાત્રીઓને થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી અપાશે. જ્યાં બ્રેકફાસ્ટ અને ડિનરની વ્યવસ્થા હશે. ટૂરિસ્ટ સ્પોટની જાણકારી માટે સાથે ટૂર ગાઈડ પણ હશ. સાથે જ ટ્રાવેલ ઈન્સયોરન્સ પણ કરાવવામાં આવશે.
નોંધઃ IRCTCએ ખાસ નિર્દેશ આપ્યા છે કે જો કોઈ વ્યક્તિ આ ટૂર લેવા ઈચ્છે છે તો તેણે પોસ્ટ પેઈડ સિમ કાર્ડ સાથે રાખવું અનિવાર્ય હશે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2MVqFNJ
No comments:
Post a Comment