રાજકોટઃ નવરાશની પળોમાં વધુમાં વધુ લોકો રસ્તા પર કામ વગર નીકળી રહ્યા હોવાથી રાજકોટ પોલીસે શહેરીજનોને તેમની સોસાયટીઓમાંથી પણ બહાર ન નીકળવા દેવાનો નિર્ણય કરીને લોકડાઉનને વધુ કડક બનાવ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
રાજકોટ પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને યોગ્ય કારણ વગર ઘર બહાર નીકળતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય લોકોને કોઈ જરૂરી સામાન લેવો હોય તો વ્હીકલ વગર પોતાના જ વિસ્તારમાંથી ખરીદવાનું કહ્યું છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં મનોજ અગ્રવાલે કહ્યું કે, ‘લોકોની સગવડતા માટે હવે જીવન જરુરિયાતની વસ્તુઓ ઘર સુધી પહોંચાડાઈ રહી છે. મહાનગરપાલિકાએ પણ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાંથી જરૂરી વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પ્લાન બનાવ્યો છે, જેથી લોકો દવાઓ કે અન્ય વસ્તુ ખરીદવા માટે ટુ-વ્હીલર કે અન્ય વાહન લઈને જવાનું ટાળે’.
અગ્રવાલના જણાવ્યા મુજબ, લોકો પોતાની સોસાયટીમાં ક્રિકેટ રમવા કે પછી અન્ય સમય પસાર કરવા ટોળું વળીને બેસતા હોવાની ઘણી ફરિયાદો પોલીસને મળી રહી છે. આ રીતે સોસાયટીમાં ભેગા થવું કે ક્રિકેટ રમવી તેને પણ મંજૂરી નથી, જો કોઈ આમ કરતાં ઝડપાશે તો તે તમામ સામે પોલીસ કાર્યવાહી કરશે.
કલમ 144નો ભંગ કરવા બદલ તેમજ જરૂરી ચીજ-વસ્તુઓની કેટેગરીમાં ન આવતી હોવા છતાં દુકાનો ખુલ્લી રાખનાર સામે અત્યારસુધીમાં કુલ 51 ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગના કેસ પ્રતિબંધ હોવા છતાં ભેગા થતાં લોકો સામે તેમજ દુકાન ખુલ્લી રાખનાર સામે નોંધાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, એક જ ટુ-વ્હીલર પર બે લોકો જતાં હોય તો તેને સોશિયલ ડિસ્ટન્સિંગ ન કહેવાય. ટુ-વ્હીલર પર બેસીને માત્ર એક જ વ્યક્તિ બહાર નીકળે તેવી સલાહ આપવામાં આવી છે.
21 દિવસના લૉકડાઉનમાં પક્ષીઓનું શું થશે, આ યુવકને છે ચિંતા
from Page Array – I Am Gujarat https://ift.tt/2ULfR8d
No comments:
Post a Comment