Latest

Thursday, April 9, 2020

મરકજના કારણે કોવિડ-19ના કેસોમાં ઉછાળો આવ્યોઃ CM વિજય રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે ધીમે ધીમે પગ પેસારો કરતા છેલ્લા કેટલાક દિવસોમાં કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવાર સાંજ સુધીમાં રાજ્યમાં 11 નવા કેસ સાથે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 186 સુધી પહોંચી ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શરૂઆતના તબક્કામાં ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ઓછી હતી. પરંતુ તબલીગી જમાતમાં ગયેલા અથવા તેમના સંપર્કમાં આવેલા લોકોના કારણે અચાનક કેસોમાં ઉછાળો આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

રૂપાણીએ કહ્યું, સરકારે વાયરસથી સંક્રમતિ 15 વિસ્તારોનો સીલ કરી દીધા છે અને દરેક શંકાસ્પદ વ્યક્તિનો ટેસ્ટ કરી રહી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર લોકડાઉન વધારવાનું નક્કી કરશે પરંતુ રાજ્ય કોરોનાના કેસોના નિયંત્રણ માટે પગલા ભરવા જઈ રહી છે. અમારો ધ્યેય સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવો છે, જેથી કોવિડ-19ને ફેલાતો રોકી શકાય.

ઉલ્લેખનીય છે કે મંગળવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કહ્યું હતું કે, તબલીગી જમાતના લોકો સ્વાસ્થ્યકર્મીઓને સહયોગ ન આપી અને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છૂપાવીને રાજ્ય અને દેશમાં કોરોના વાયરસના ફેલાવામાં મોટો ફાળો ભજવી રહ્યા છે.

નીતિન પટેલે જણાવ્યું, ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં પણ સરકારના આદેશનું ઉલ્લંઘન કરાયું હોય તેવું અમે સાંભળ્યું નથી. તેઓ કહે છે, ‘દિલ્હીથી પાછા ઘરે આવ્યા બાદ તેમણે અધિકારીઓને જાણ કરવી જોઈતી હતી. જો જમાતના સભ્યોએ અધિકારીઓને જાણ કરી હોત અથવા મેડિકલ ચેક-અપ માટે આગળ આવ્યા હોત તો કોરોનાનો ફેલાવો ઓછો થયો હોત. તેમણે સમજવું જોઈએ કે તેમના આ કાર્યથી તેમના જ સમાજના લોકોને વધારે અસર થશે.’

ઉલ્લેખનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં દેશભરમાંથી તથા વિદેશમાંથી જમાતીઓ એકઠા થયા હતા. જેમાંથી ઘણા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. અમદાવાદમાં પણ જમાતમાંથી પાછા આવેલા લોકોમાં કોરોના વાયરસનો લક્ષણો જોવા મળ્યા હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2xf4Yng

No comments:

Post a Comment

Pages