અભિમન્યુ કોટનાળા, ઉત્તરકાશીઃ ચિન્યલિસૌર (Chinyalisaur) વિસ્તારની રેવન્યૂ પોલીસે લોકડાઉન દરમિયાન ક્વોરન્ટિનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 6 મહિનાના એક બાળક અને ત્રણ વર્ષના એક બાળક સહિત કુલ 45 લોકો સામે ગુનો નોંધ્યો છે. માહિતી મળતા, જિલ્લા વહીવટીતંત્રએ બંને બાળકોના નામ FIRમાંથી જુવેનાઈલ એક્ટ હેઠળ રદ્દ કરી નાખ્યા હતા. આ એક્ટ પ્રમાણે 8 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા બાળકો સામે ગુનો નોંધી શકાય નહીં. બેદરકારી દાખવવા બદલ વહીવટી તંત્રએ સંબંધિત અધિકારી સામે કાર્યવાહી હાથ ધરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં કોવિડ 19ના કેસ માટે નિયુક્ત કરાયેલા એક મેજિસ્ટ્રેટના રિપોર્ટના આધારે મહેસૂલ પોલીસે 11 એપ્રિલે ચિન્યલિસૌરના નવા ખાલસી ગામમાં બે બાળકો અને તેમના માતા-પિતા સહિત 47 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
નોટિસ મળતાં જ પરિવારજનોએ બાળકો સામે કેસ દાખલ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટીતંત્રએ પણ તાત્કાલિક રિપોર્ટ કેન્સલ કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, કોવિડ 19 મેજિસ્ટ્રેટ સામે ગ્રાઉન્ડ સરવે કર્યા વગર ખોટો રિપોર્ટ ફાઈલ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડુંડાના (Dunda) સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આકાશ જોશીએ કહ્યું કે, ‘અમે રિપોર્ટ કેન્સલ કર્યો છે, કારણ કે સંબંધિત અધિકારીઓને લાગે છે કે કોઈ ગ્રાઉન્ડ સરવે વગર તેને બનાવવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે પણ તપાસ કરી છે અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોવિડ 19 મેજિસ્ટ્રેટને સસ્પેન્ડ કરાશે’.
ચોમાસામાં ફરી ત્રાટકી શકે છે કોરોના, જુલાઈ-ઓગસ્ટમાં બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતા
from Page Array – I Am Gujarat https://ift.tt/2KuAiBq
No comments:
Post a Comment