Latest

Wednesday, April 8, 2020



70185915

રચિતા પ્રસાદ

મુંબઈ:લાર્સન એન્ડ ટુબ્રો માઇન્ડટ્રીના અનોખા કલ્ચરનું રક્ષણ કરવાનું અને તેને નિખારવાનું આયોજન ધરાવે છે. હવે તે આના માટે કાઉન્સિલની સ્થાપના કરશે. આ કાઉન્સિલ મહાકાય કંપની અને હસ્તગત કરેલી કંપની વચ્ચે શ્રેષ્ઠ કાર્યપ્રણાલીનું આદાનપ્રદાન થાય અને જતન થાય તેમ જોશે, એમ લાર્સન એન્ડ ટુબ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસએન સુબ્રમણ્યમે જણાવ્યું હતું.

આ એન્જિનિયરિંગ કંપનીએ તાજેતરમાં જ માઇન્ડ ટ્રીનું એક્વિઝિશન પૂરું કર્યું હતું. ભારતમાં ઇન્ફોર્મેશન ટેક્‌નોલોજીમાં આ સૌ પ્રથમ હોસ્ટાઇલ ટેકઓવર મનાય છે. કંપનીના સ્થાપકોએ અને કર્મચારીઓએ વળતો પ્રહાર પણ કર્યો છે, જેમા તેમને ડર છે કે હેવીવેઇટ કંપની તેમના વર્ક કલ્ચરને કચડી નાખશે.

માર્ચમાં જ્યારે એલ એન્ડ ટીએ તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો ત્યારે તેના કર્મચારીઓએ માઇન્ડટ્રીમેટર્સ અભિયાન કર્યું હતું અને આ એક્વિઝિશન સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે એલ એન્ડ ટીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુબ્રમણ્યમને જણાવ્યું હતું કે એક કંપનીની સારી કાર્યપ્રણાલીને બીજી કંપની દ્વારા સ્વીકારવામાં આવી શકે. ભવિષ્યમાં યોગ્ય સમયે આ માટે કાઉન્સિલ રચાશે, જ્યાં સારા વિચારોનું આદાનપ્રદાન થશે. શેરધારકો 16 જુલાઈની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી આપી પછી સુબ્રમણ્યમ માઇન્ડ ટ્રીના બોર્ડમાં પણ હશે.

એલ એન્ડ ટી માઇન્ડટ્રીને ગ્રાહક સાથે જોડાવવામાં અને બેલેન્સ શીટ મજબૂત બનાવવામાં મદદ કરશે. માઇન્ડટ્રી એલ એન્ડ ટીને એટ્રિશન ઘટાડવા માટેની શ્રેષ્ઠ કાર્યપ્રણાલીઓને અમલી બનાવવામાં મદદ કરશે. માઇન્ડટ્રીના 20,204 કર્મચારીઓ છે, જેને ‘માઇન્ડટ્રી માઇન્ડ્સ’ કહેવાય છે. કંપનીનો એટ્રિશન 14.2 ટકા છે, જ્યારે એલ એન્ડ ટીનું એકમ એલ એન્ડ ટી ઇન્ફોટેકમાં આ દર 17.5 ટકા છે, એમ તેમની વેબસાઇટ પરની માહિતી પરથી જાણવા મળે છે.

કંપનીની નેતાગીરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે માઇન્ડ ટ્રી અલગ એકમ તરીકે ચાલશે અને તે હોમગ્રોન ટેક્‌નોલોજી કંપની તરીકે ચાલશે. બંને એકમો વચ્ચે કોઈ પણ પ્રકારનો હિતોનો સંઘર્ષ નહીં હોય. સુબ્રમણ્યમે નિર્દેશ કર્યો છે કે એક જ છત હેઠળ સ્વતંત્ર કારોબાર ચલાવવામાં આવશે, કોઈ નવી કંપની નહીં હોય. આ વર્ટિકલ્સ ફોકસ, ક્લેરિટી, પારદર્શકતા, સ્કિલ-સેટ્સ બનાવવામાં અને કારોબારની હેતુલક્ષિતા જોવાશે. આ વર્ટિકલોને તેમના કારોબારોનું સંચાલન કરવા સ્વતંત્રતા અપાશે, એમ તેમણે ઇ-મેઇલમાં જણાવ્યું હતું.

આ સપ્તાહે માઇન્ડટ્રીનો શેર 12.5 ટકા ઘટ્યો છે. કંપનીના ચેરમેન ક્રિષ્નકુમાર નટરાજન, વાઇસ ચેરમેન એન એસ પાર્થસારથિ અને સીઇઓ રોસ્તવ રાવન જે કંપનીના સ્થાપકો પણ હતા તેમણે ગયા સપ્તાહે કંપની પરથી અંકુશ ગુમાવ્યા પછી રાજીનામું આપ્યું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2XZqFmt

No comments:

Post a Comment

Pages