ભાવનગર: ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. ત્યારે ભાવનગરથી સારા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધે સતત 23 દિવસ સુધી જંગ ખેલીને ડૉક્ટર અને હોસ્પિટલના સ્ટાફના મદદથી પહેલા કોરોના અને બાદમાં ફેફસાંની બિમારીને હરાવી પરત ઘરે આવ્યા છે. વૃદ્ધને કોરોનાની સાથે ફેફસાંની બિમારી હોવા છતાં તેઓ હિંમત નહોતા હાર્યા અને કોરોનાને પછડાટ આપી હતી.
90 વર્ષના રસુલભાઈ રાઠોડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા શહેરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 એપ્રિલે તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 23 દિવસની કોરોના સામેની લડત બાદ રિપોર્ટ નેગેટિવ આવતા મંગળવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રસુલભાઈ એક ટેક્સટાઈલ મિલમાં કામ કરતા હતા. પરિવારમાંથી જ્યારે કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે તેમના 25 વર્ષના પૌત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ગભરાવવાની જરૂર નથી, હિંમત રાખો અને ડૉક્ટરની સલાહ માનો.
સરટી હોસ્પિટલના ડૉક્ટર સુનિલ પંજવાણીએ જણાવ્યું કે, ‘આ સામાન્ય છે કે જે કોવિડ દરમિયાન દર્દી ઈમ્બોલિઝમ (Embolism) ડેવલપ કરે છે. કેટલાક દર્દીઓમાં ઈમ્બોલિઝમના કારણે બ્લડ પ્રેશરના ડ્રોપ્સ જીવલેણ સાબિત હોઈ શકે છે. જ્યારે રસુલભાઈના કેસમાં તેમનુ બ્લડ પ્રેશર ઓછું થયું નહોતું. એટલે જ અમે તેમને બચાવી શક્યા.’
રસુલભાઈના પુત્ર ઈકબાલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘મારા પિતા વૃદ્ધ છે અને તે વધારે વાતચીત નથી કરતા. એકવાર તેઓ તેમની ઉંમરના વ્યક્તિ પાસે જઈને બેઠા હતા. અમે આશ્ચર્ય છે કે તેમને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો? તેમને ડાયાબીટિઝ કે બ્લડ પ્રેશરની બિમારી પણ નથી.’
ભાવનગરમાં કોરોનાની સ્થિતિ
મંગળવારે સાંજ સુધી જાહેર થયેલા આંકડા મુજબ કોરોનાનો વધુ એક કેસ નોંધાતા ભાવનગરમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 41 થઈ ગઈ છે. તેમાંથી 5 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/35fi801
No comments:
Post a Comment