Latest

Saturday, April 25, 2020

નર્મદાઃ લોકડાઉનના લીધે ક્વાટર્સમાં એકલી રહેતી દિવ્યાંગ યુવતી માટે ‘મસીહા’ બની મુસ્લિમ ફ્રેન્ડ

તુષાર ટેરે વડોદરાઃ લોકડાઉનના કારણે 28 વર્ષીય દિવ્યાંગ યુવતી રિદ્ધિ સોની પોતાના પરિવારથી દૂર છે. ગયા મહિને લોકડાઉન જાહેર કરાયા બાદ તેને ઘરે પાછા જવા માટે કોઈ સાધન ન મળતાં અમદાવાદમાં રહેતા તેના માતા-પિતા ખૂબ ચિંતિત હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

નર્મદા જિલ્લાના રેસિડેન્શિયલ ક્વોટર્સમાં રહી રહેતી અને રાજપીપળાની બિરસા મુંદ્રા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ઈંગ્લિશ લિટરેચર ભણાવતી રિદ્ધિની સ્થિતિ ખરેખર ખૂબ દયનીય થઈ ગઈ હોત, પરંતુ તેની પાડોશી અને તેની સાથે નોકરી કરતી 26 વર્ષીય નુમા અંસારીના કારણે તેનું જીવન સરળ બની ગયું છે.

‘મહામારીના આ સમયમાં આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે અને અંસારી તે બાબતે મોટું ઉદાહરણ પૂરું પાડી રહી છે’, તેમ સોનીએ કહ્યું. જેણે બે વર્ષ પહેલા ટ્રાયબલ યુનિવર્સિટીમાં નોકરી મેળવી હતી અને રાજપીપળા શિફ્ટ થઈ હતી.

‘જો અંસારી ન હોત તો લોકડાઉન દરમિયાન હું કેવી રીતે જીવી શકત. તે માત્ર મારી અન્ય જરૂરિયાતોની કાળજી નથી રાખતી, પરંતુ તે મને કોરોનાનો ચેપ ન લાગે તેનું પણ ધ્યાન રાખે છે. હકીકતમાં તે હું જે વસ્તુનો ઉપયોગ કરવાની છું અથવા હું જે વસ્તુને અડવાની છું તેને સેનિટાઈઝ કરી દે છે’, તેમ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં સોનીએ જણાવ્યું.

ટ્રાયબલ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી 26 વર્ષીય અંસારીએ કહ્યું કે, ‘અમે એક જ યુનિવર્સિટીમાં નોકરી કરીએ છીએ અને ખૂબ સારા મિત્રો પણ છીએ. તેનું ક્વાર્ટર મારી બિલ્ડિંગની બાજુમાં છે. મને જ્યારે જાણ થઈ કે, સોનીને અમદાવાદના મેમનગરમાં રહેતા તેના માતા-પિતા પાસે જવા માટે કોઈ સાધન મળ્યું નથી, ત્યારે મેં નક્કી કરી લીધું કે તેને અહીંયા એકલું લાગવા નહીં દઉ’.

લોકડાઉન શરૂ થયું ત્યારથી જ નુમા, રિદ્ધિનું ધ્યાન રાખે છે. ‘લોકડાઉન હેઠળ રિદ્ધિ માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જવું મુશ્કેલ છે. તેથી મેં દૂધ, કરિયાણું અને શાકભાજી લઈને દવાઓ સુધી બધુ તેના માટે ખરીદવાનું શરૂ કર્યું. જેથી તેને બહાર ન જવું પડે અને કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં ન આવે. તેને કોરોનાનો ચેપ લાગે તેમ હું નથી ઈચ્છતી’, તેમ નુમાએ કહ્યું, જે રાજપીપળામાં પોતાના પતિ સાથે રહે છે.

 કોરોના વાયરસઃ લૉકડાઉનમાં લગ્ન પ્રસંગ કે અંતિમવિધિ માટે માત્ર આટલા લોકોને આપવામાં આવશે પરમિશન



from Page Array – I Am Gujarat https://ift.tt/3530uwx

No comments:

Post a Comment

Pages