Latest

Wednesday, April 29, 2020

શાસ્ત્રોક્ત વિધિ સાથે બાબા કેદારનાથના કપાટ ખોલાયા, લોકડાઉનના નિયમોનું કરાયું પાલન

બાબા કેદારનાથના કપાટ ખુલ્યા

આજે સવારે 6:10 વાગ્યે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. મંત્રોક્ત વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા છે. આ પહેલા રુદ્રપ્રયાગથી ગૌરીકુંડના બરફવાળા રસ્તા પર થઈને બાબા કેદારનાથની ડોલી તેના બીજા પડાવ ભીમબલી પહોંચી ગઈ હતી. ગઈકાલે બાબા કેદારનાથના કેદારનાથ ધામ માટે ડોલી રવાના થઈ ગઈ હતી.

મંદિરનો અદ્ભૂત કરાયો છે શણગાર

કોરોના વાયરસ સામે દેશ લડી રહ્યો છે ત્યારે લોકડાઉનના કારણે અહીં ભક્તોને આપવાની પરવાનગી નથી અપાઈ. મંદિરમાં માત્ર ગણતરીના લોકો પહોંચ્યા હતા અને પૂજા-વિધિ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે કપાટ ખુલવાના હતા જેના કારણે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

લોકડાઉનના નિયમનું પાલન કરાયું

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અહીં મંદિરના કપાટ ખોલવા માટે પહોંચેલા સાધુ-સંતોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે લોકડાઉન દરમિયાન લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન કરતા જોવા મળ્યા. સાધુ-સંતોની સંખ્યા પણ નિશ્ચિત કરાઈ હતી.

મુખ્ય પૂજારીઓ જ પૂજા-વિધિમાં હાજર રહ્યા

અગાઉ જણાવવામાં આવ્યું હતું કે કપાટ ખોલવાની વિધિ દરમિયાન માત્ર 16 મુખ્ય પૂજારીઓ જ આ કામગીરી દરમિયાન હાજર રહેશે. કેદારનાથ ધામ પહોંચતા પહેલા ડોલી લઈને નીકળેલા સાધુઓ કિલોમીટર લાંબા બરફવાળા રસ્તાનું અંતર કાપીને કેદારનાથ પહોંચ્યા છે.

સામાન્ય વર્ષ કરતા એકદમ અલગ દૃશ્ય

સામાન્ય રીતે કેદારનાથ ધામમાં મંદિરના કપાટ ખૂલે ત્યારે મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તોનો જમાવડો મંદિર પાસે થયો હોય છે જોકે, લોકડાઉનના કારણે અહીં શ્રદ્ધાળુઓને આવવાની પરવાનગી આપવામાં નથી આવી.

કઠીન માર્ગ કાપીને બાબાની ડોલી મંદિર પહોંચી

લોકડાઉનની અસર પણ દેખાઈ

કરો બાબા કેદારનાથના દર્શન



from Page Array – I Am Gujarat https://ift.tt/2W3NmmG

No comments:

Post a Comment

Pages