Latest

Wednesday, April 8, 2020

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલો કોરોના સંક્રમિત વ્યક્તિ ઝડપાયો

રાજકોટઃ મંગળવારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે કઈ રીતે સંક્રમિત થયો તેની જાણ હજુ સુધી થઈ નથી કારણ કે તે પોતાના ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરવામાં અધિકારીઓને સહયોગ આપી રહ્યો નથી. જ્યારે તે વ્યક્તિને પોતે કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો હોવાની જાણ થઈ તો તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ભાગી પણ ગયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સોમવારે સાંજે આ વ્યક્તિની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલ દ્વારા તેને રેફર કરાયો હતો. જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેને કેટલીક ફોર્માલિટી પૂરી કરવાનું કહ્યું તો તે ત્યાંથી નાસી ગયો હતો. ડોક્ટરોએ આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ એલર્ટ કર્યા હતા, કારણ કે તે વ્યક્તિનો ફોન સ્વિચ્ડ-ઓફ આવી રહ્યો હતો .

જો કે, સાવચેત પોલીસે દોઢ કલાકની મહેનત બાદ તેને જંગલેશ્વર વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. આ સિવાય ભાવનગરની 29 વર્ષની મહિલાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તે કોરોનાથી સંક્રમિત 65 વર્ષીય વૃદ્ધના પરિવારની સભ્ય છે, જેની સારવાર સર ટી હોસ્પિટલમાં ચાલી રહી છે.

અમદાવાદઃ કોરોના વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં AMC ડ્રોનથી છાંટી રહી છે દવા



from Page Array – I Am Gujarat https://ift.tt/2wk52BA

No comments:

Post a Comment

Pages